ખડગપુરની એક રેલીને સંબોધિત કરતા મમતા બેનેરજીએ જણાવ્યું કે જ્યારે બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી એક સમૂદાયનો વોટ મેળવવા માટે બાંગ્લાદેશ ગયા છે. ટીએમસી ચૂંટણી પંચને ફરિયાદ કરશે.
વોટોના માર્કેટિંગ માટે પીએમ મોદી બાંગ્લાદેશ ગયા છે-મમતા
મમતા બેનરજીએ જણાવ્યું કે અહીં ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેઓ બાંગ્લાદેશ જઈને બંગાળ પર લેક્ચર આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. ક્યારેક ક્યારેક તે કહે છે કે મમતા બાંગ્લાદેશથી લોકોને લાવી રહી છે, ઘુસણખોરી કરાવી રહી છે. પરંતુ તેઓ (પીએમ) ખુદ વોટ માર્કેટિંગ માટે બાંગ્લાદેશ જાય છે.
પીએમ મોદીએ મતુઆ સમૂદાયને સંબોધન કરતા મમતા ભડક્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસ પર છે. શનિવારે ઓરાકાંડીના મતુઆ સમુદાયના મંદિરમાં પહોંચ્યા હતા. આ મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી હતી. નોંધનીય છે કે આ મંદિર મતુઆ સમાજના સંસ્થાપક હરિશ્ચંદ્ર ઠાકુરનું જન્મસ્થળ છે. પીએમ મોદીએ મંદિરમાં દર્શન બાદ સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે હું કેટલાય વર્ષોથી આ અવસરની રાહ જોઈ રહ્યો હતો. વર્ષ 2015માં જ મેં ઓરાકાંડી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે આજે પૂરી થઈ ગઈ. તેમણે એક વ્યક્તિ સાથે વાતચીતનો હવાલો આપતા કહ્યું કે શું ક્યારેય કોઈએ વિચાર્યું હતું કે ભારતનો પીએમ ઓરાકાંડીમાં આવશે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની વચ્ચે મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ત્યારે મોંઘવારી સૌથી મોટો મુદ્દો હતો પરંતુ જેમ જેમ રાજ્યમાં પીએમ મોદીએ પ્રચાર શરૂ કર્યો છે તે બાદ રાજ્યમાં ચૂંટણીના મુદ્દા બદલાઈ રહ્યા છે ત્યારે મમતા બેનર્જી પણ હવે ભાજપ આક્રમક મોડમાં આવી ગયા છે. વિષ્ણુપુરમાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે પાન મસાલા ખાનારાઓ અને તિલક લગવાનારાઓ યુપી જેવા રાજ્યોના લોકો ચૂંટણી પહેલા સમસ્યા ઊભી કરવા માટે અહિયાં મોકલવામાં આવ્યા છે. આ બધા અમારા માટે બહારના ગુંડા છે. જોકે હા અમે વર્ષોથી બંગાળમાં જ રહેતા હોય તેવા લોકોને બહારના નથી ગણતાં.