સ્કોટસલેન્ડમાં આજે PM મોદીએ સંબોધન આપ્યું જેમા તેમણે જલવાયું પરિવર્તન મુદ્દે વાત કરતા વિશ્વના દેશોને ચેતવણી આપતા કહ્યું કે તે આપણા માટે મોટો ખતરો છે.
જલવાયું પરિવર્તનને લઈ વિશ્વને PM મોદીની ચેતવણી
વિકસતી દેશોને પણ જલવાયુ પરિવર્તનની થઈ અસર: PM મોદી
ISRO હવે SIDS માટે વિશેષ ડેટા બનાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું IRISની શરૂઆત આપણાને નવી આશા અને નવા વિશ્વાસ સાથે ભરે છે. સાથેજ તેમણે કહ્યું આને કારણે આપણે અમુક સંવેદનશીલ દેશો માટે કઈક કરવાનો સંતોષ થાય છે. ગ્લાસગો, સ્કોટલેડમાં રેસિલિયન્ચ આઈલેન્ડ સ્ટેટસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લોકાર્પણ પ્રસંગે PM મોદીએ સંબોધન કર્યું.
દરેક દેશોને જલવાયુ પરિવર્તનની અસર થઈ
PM મોદી આ પ્રસંગે બોલ્યા કે છેલ્લા અમુક દાયકામાં એ સાબિત થયું છે કે જલવાયું પરિવર્તન પ્રભાવની દરેક દેશને અસર થઈ છે. જેમ વિકસીત દેશો પણ શામેલ છે. જેને વડાપ્રધાને મોટો ખતરો ગણાવ્યો છે. ભારતની અંતરિક્ષ એજન્સી ISRO હવે SIDS માટે એક વિશેષ ડેટા વિંડો બનાવશે.
પેસિફિક ટાપુઓ માટે વિશેષ વ્યવસ્થા
SIDS સેટેલાઇટ દ્વારા ચક્રવાત, કોરલ-રીફ મોનિટરિંગ, કોસ્ટ-લાઇન મોનિટરિંગ વગેરે વિશે સમયસર માહિતી મેળવતું રહેશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે નાના ટાપુ વિકાસશીલ રાજ્યો પર જળવાયુ પરિવર્તનના ખતરાની અપેક્ષા રાખીને ભારતે પેસિફિક ટાપુઓ અને કેરીકોમ દેશો સાથે સહયોગ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. અમે તેમના નાગરિકોને સૌર તકનીકોમાં તાલીમ આપી છે, વિકાસમાં સતત યોગદાન આપી રહ્યા છીએ.
IRIS ખૂબજ મહત્વપૂર્ણ
તેમણે કહ્યું કે તેઓ IRISના લોન્ચિંગને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. IRIS દ્વારા, SIDS માટે ટેક્નોલોજી, ફાઇનાન્સ, જરૂરી માહિતીને ઝડપથી એકત્ર કરવામાં સરળતા રહેશે. જેમા નાના ટાપુઓના સ્ટેટ્સમાં ગુણવત્તાયુક્ત બાંઘકામને પ્રોત્સાહન આપવાથી ત્યાંના જીવન અને આજીવિકા બંનેને ફાયદો થશે.
માનવ કલ્યાણની સંવેદનશીલ જવાબદારીનો ભાગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પીએમ મોદીએ કહ્યું કે તેમના માટે સીડીઆરઆઈ અથવા આઈઆરઆઈએસ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત નથી, પરંતુ તે લોકોના સારા માટે ખૂબ જ સંવેદનશીલ જવાબદારીનો એક ભાગ છે.