ગુજરાતનાં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં ગુજરાતનાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વખતે ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેમાં તેલંગાણા રાજ્યના રામપ્પા મંદિરનો પણ સમાવેશ થાય છે. ધોળાવીરા ગુજરાતની ચોથી અને ભારતની 40 મી હેરિટેજ સાઇટ બની હતી. સિંધુ ખીણની સંસ્કૃતિની આ પહેલી સાઇટ છે જેને આ બહુમાન મળ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કરી ટ્વિટ
ધોળાવીરાને આ વિશેષ સન્માન મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ટ્વિટ કરીને યુનેસ્કોના આ પગલાંને આવકારવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ધોળાવીરા એક મહત્વનું કેન્દ્ર છે જે આપણને આપણાં ઇતિહાસ સાથે જોડતી કડી છે. જેમને ઇતિહાસ,સંસ્કૃતિ અને પુરાતનશાસ્ત્રમાં રસ ધરાવતા લોકોએ અહીં મુલાકાત લેવી જોઈએ.
એક બીજી ટ્વિટમાં તેમણે પોતાના સંભારણા વાગોળતાં લખ્યું હતું કે તેમણે સૌથી પહેલાં પોતાના વિદ્યાર્થી કાળમાં ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે તેમને આ સ્થળને હેરિટેજ તરીકે જાળવવાની અને પુન:સ્થાપન કરવાની તક મળી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે અમારી ટીમે અહીં પ્રવાસનયોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવા માટે મહેનત કરી હતી.
I first visited Dholavira during my student days and was mesmerised by the place.
As CM of Gujarat, I had the opportunity to work on aspects relating to heritage conservation and restoration in Dholavira. Our team also worked to create tourism-friendly infrastructure there. pic.twitter.com/UBUt0J9RB2
વડાપ્રધાન મોદીની આ ટ્વિટ બાદ સોશ્યલ મીડિયામાં લોકો અસમાંજસમાં મુકાયા હતા. ઘણાં લોકો આ માહિતી સાથે વિસંગતતો શોધી લાવ્યા હતા તો બાકીના લોકો મુંઝાયા હતા.
તર્ક 1
કોઈએ ટ્વિટર પર સવાલ કર્યો હતો કે વડાપ્રધાન મોદીનો જન્મ 1950 માં થયો હતો. જ્યારે ધોળાવીરાનું ખોદકામ તો 1990 ની આસપાસ થયું હતું. એનો અર્થ એ થયો કે ધોળવિરાની હેરિટેજ સાઇટની મુલાકાત સમયે તેમની ઉંમર 40 કરતાં વધારે હોવી જોઈએ. ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે તેમણે વિદ્યાર્થીકાળમાં આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ એક મંત્રમુગ્ધ કરી દેનાર અનુભવ હતો.
But its first excavation was in 1990 so you must be 40 at that time and you say you visited in student age. Where were you studying in 1990.
Hit a short long enough when you are not caught within boundary.
પરંતુ વડાપ્રધાન મોદીનો વિદ્યાર્થી કાળ 1983માં પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મળવા સાથે પૂરો થઈ ગયો હતો જ્યારે ધોળવીરાંનું ખોદકામ જ 1990 થી 2005 વચ્ચે થયું હતું. આ અગાઉ ત્યાં માત્ર ગામ હતું કોઈ પુરાતન અવશેષો ન્હોતા. કોઇએ સોશ્યલ મીડિયા પર પ્રશ્ન કર્યો હતો કે શું 40 વર્ષની ઉંમરે મોદીજી વિદ્યાર્થી હતા?
He said "Student days". Not necessarily a school student.
વિચાર એવા પણ થઈ રહ્યાં છે કે ચલો માની લઈએ કે PM મોદી સ્કૂલના વિદ્યાર્થીકાળ વખતે ન ગયા હોય અને કોલેજ સમયે ગયા હોય તેમ છતાં તેમણે 1983માં માસ્ટર ડિગ્રી મેળવી હોવાનું જાહેરમાં માહિતી ઉપલબ્ધ છે. તેના પણ 6 વર્ષ બાદ ધોળાવીરામાં શરૂઆતી ખોદકામ શરૂ થયું હતું. જ્યારે પબ્લિક માટે ધોળાવીરાની મુલાકાતની શરુઆત વર્ષ 2000 બાદ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. તો આ પહેલાં કેવી રીતે મુલાકાત PM મોદીએ કરી હોય તેના પર પણ લોકો સોશ્યલ મીડિયામાં ચર્ચા કરી રહ્યાં છે.
જો કે આ પ્રશ્નના જવાબ તો ખુદ વડાપ્રધાન જ આપી શકે એમ છે પરંતુ એક ગુજરાતી તરીકે આપણા માટે આ આ ઘટના ગૌરવની બાબત છે. આપણા રાજ્યનાં ચોથા સ્થળને યુનેસ્કોના હેરિટેજનો દરજ્જો મળ્યો છે ત્યારે આશા રાખીએ કે આવનાર સમયમાં આ સ્થળો પ્રવાસન માટે દુનિયાને આકર્ષે અને રોજગારી ઊભી કરે.