રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. પોતાની જીત મેળવવા નેતાઓ રાત-દિવસ એક કરી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી અમરેલીમાં પોતાની સભા સંબોધી રહ્યા છે.
પીએમ મોદીએ અમરેલીની જનતાને કેમ છો કરીને સ્વાગત કર્યું હતું. પીએમે જનતાને પુછ્યું કે, શું બધા હનુમાન જ્યંતિની તૈયારીમાં છો. મેં રસ્તામાં જોયું બોર્ડ અને કેમ્પ લાગી ગયા છે. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેજ પર રહેલા તમામ નેતાઓનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, અમરેલી આવતા જ ભોજલરામ બાપા યાદ આવે છે. પાલનપુર અને અમરેલીના કવિઓ વિશે વાત કરતા જણાવ્યું કે, એકને ભૂલીએ અને એક યાદ આવે તેવી આ ધરતીને નમન કરું છું. પીએમ મોદીએ કોંગ્રેસ પર દબાવીને કટાક્ષ કર્યા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી લઇને કાશ્મીરના મુદ્દા સુધી પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી.
મોદીએ કહ્યું જેને ગુજરાતની પ્રજાને પાણી માટે તરસાવી તેવા લોકોને ક્યારેય માફ ના કરાય. મને દિલ્હી મોકલ્યો અને માત્ર 17 દિવસની અંદર જ સરોવર ડેમની મંજૂરી આપી દીધી હતી. આજે હું તમારા પાસે 26 કમળો માંગવા આવ્યો છું. અને મને માંગવાનો હક્ક છે કે નહીં. તેમ કહીને જનતાને પુછ્યું હતું. નવી પેઢી ગૂગલમાં જાય છે, તેમને તેને પુછો કે, દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યૂ ક્યું, તો તેના જવાબમાં શું આવે…
દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યૂ ભારતમાં ક્યા આવે.. ત્યારે તેના જવાબમાંગુજરાતનું નામ આવે ત્યારે આપણને આનંદ આવે કે નહીં. મારા માટે સરદારનું નામ આવે ત્યારે આપણી છાતી ગદગદ થાય તે સ્વાભાવિક છે. મેં નહેરૂને નીચું દેખાડવા માટે સરદારની પ્રતિમા નહોતી બનાવી, પરંતુ દેશને તોડી પાડવા માટે જે પ્રવૃતિઓ કાર્યરત હતી, તેને તોડી પાડવા માટે આ ગુજરાતના સપૂત લડ્યો હતો. જેના કારણે સદીઓ સુધી સરદારને યાદ કરે તેના માટે આ સ્મારક ઉભું કરવામાં આવ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં અત્યાર સુધી 12 લાખથી વધુ લોકોએ મુલાકાત લઇ લીધી છે.
પંડીત નેહરૂ વિશે વાત કરતા કહ્યું કે, તેમને કાશ્મીર મુદ્દો તેમની પાસે રાખી તેને રફેદફે કર્યું હતું. તેમને કહ્યું કે, કોંગ્રેસની સામે મોદી છે તેના કારણે તેમનો મુકાબલો કરે છે. કોંગ્રેસના રાજમાં પહેલા છાશવારે બોમ્બ વિસ્ફોટ થતા હતા. અક્ષરધામ, સુરતમાં, હૈદરાબાદમાં, કાશ્મીરમાં હોય મારા આવ્યા પછી કોઇ બોમ્બ વિસ્ફોટ થયો છે. કોંગ્રેસને સમાજમાં વિખવાદ કરીને મલાઇ ખાવાની મજા આવે છે. કાશ્મીરની સમસ્યા કોંગ્રેસને વારસામાં મળી છે.
મોદીએ ઉરીની વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન પીઠ પાછળ ઘા કરી ગયું. મુંબઇમાં 26/11નો હુમલો થયો અઠવાડિયા સુધી ગાળીઓચાલતી હતી. કોંગ્રેસે તે વખતે કંઇ કર્યું છે કે, નહીં, તમને ગુસ્સો આવતો હતો કે નહીં, પરંતુ મેં એરસ્ટ્રાઇક કરી. કરી કે ના કરી.. તેમને ઘરમાં જઇને પાડી દીધાને. પુલવામાં હુમલાની વાત કરતા કહ્યું કે, 40 જવાનો મર્યા બાદ કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળ્યું હતું. તેઓ કહેતા હતા કે, મોદી પતિ ગયો હવે. તેઓ મને પતાવવા મીટિંગો કરવાલાંગ્યો પરંતુ હું ડગ્યો નહીં સામે છાતીએ હુમલો કર્યો હતો. મેં મનમાં નક્કી કર્યું અને સૈનાને ખુલ્લી છૂટ આપી દીધી અને પાકિસ્તાનને એમ કે આતો ગુજરાતનો માણસ છે છોડી દેશે, પરંતુ પાકિસ્તાની ગણતરી ઉંધી પડી ગઇ.
આજે પાકિસ્તાન દુનિયા સામે રડતું થઇ ગયું. આજે મોદીએ તેમના ગરીબી અને ભીખ માંગવાના દિવસો લાવી દીધા છે. સેનાએ સર્જીકલ સ્ટ્રાઇક કરી, એરસ્ટ્રાઇક કરી, પાકિસ્તાનને દેખાડી દીધું. પરંતુ મને કહો મારા કરેલા કાર્યોથી તમે ખુશ છો કે નહીં. આજે મોદીએ કરેલા કાર્યોથી કોંગ્રેસના પેટમાંદુખે છે, બળતરા થાય છે.
મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને ફરીથી એક વખત ઢકોસલા પત્ર ગણાવ્યો હતો. તેમને કહ્યું કે, કાશ્મીરમાંથી સેના હટાવી લેવી, દેશદ્રોહનો કાયદો કાઢી નાખવાની વાતો હું નથી કહેતો, તેમના ચૂંટણી ઢંઢેરામાં કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, તમે એવો ચોકીદાર બેસાડ્યો છે કે, તમારા વાળ પણ વાંકો થઇ શકે તેમ નથી. કોંગ્રેસ કહે છે કે અમે કાશ્મીરમાંતી સેના હટાવી નાંખીશું, હવે તમે મને કહો સેના હટાવી નાંખે તો અમરનાથ યાત્રાએ જતા આંતકીઓ રહેવા દે ખરા, આતંકીઓ આપણા દેશની શું હાલત કરે તેની કલ્પના તો કરો.
મોદીએ બાબાસાહેબ આમ્બેડકરની વાત કરી હતી. તેમને સંવિધાનમાં કાયદો બનાવવાની વાત કરી હતી.તેમને બનાવેલા રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહના કાયદા વિશે વાત કરી હતી, તેમને હટાવવાની વાત કોંગ્રેસે મેનીફેસ્ટોમાં કરી હતી. તેના પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, જુઓ તાકાત આપણી, જનતાની કે, આજે 2014ની સરખામણીએ 2019માં આંગળીના વેઢે ગણાતી સીટો પર ઉમેદવારો લડી રહ્યા છે. આજે તેઓને હાંસિયામાં ધકેલી દીધા છે.
મોદીએ પોતાના કાર્યકાળમાં કરેલી યોજનામાં પાકા ઘર, રસોડામાં ગેસ જેવી યોજનાઓની ઉપલબ્ધિઓ ગણાવી હતી. કોંગ્રેસે 25 વર્ષમાં માત્ર 25 લાખ ઘરો બનાવ્યા છે. મોદીએ 5 વર્ષમાં દોઢ કરોડ ઘરો બનાવ્યા છે. જેથી તમે મારા પર ભરોસો કરો છો. અમે ખેડૂતો માટે યોજનાઓ લઇને આવ્યા, દરવર્ષે 75000 કરોડ ખેડૂતોના ખાતામાં જઇ રહ્યા છે. 23 મે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અમે નક્કી કર્યું છે. 5 એક્ડનો નિયમ હટાવી લેવામાં આવશે, અને દેશના તમામ ખેડૂતોને લાભ આપવામાં આવશે.
આપણે પાણીનું સંકટ જોયું છે, મે પણ જોયું છે. પાણીનું સંકટ નિવારવા માટે આખા દેશમાં પાણી માટે એક મિનિસ્ટ્રિ બનાવવામાં આવશે. જનશક્તિ મંત્રાલય નામે એક મિનિસ્ટ્રિ બનાવવામાં આવશે, જેનું કામ પાણીનું રહેશે. અને આવનારી પઢીને પાણીથી સસમુદ્દ કરશે. મોદીએ માછીમારો માટે વાત કરતા જણાવ્યું કે, માછીમારોના વિકાસ માટે અલગથી બજેટ અને મંત્રાલય બનાવવાનું નક્કી કર્યું છે. જેમ કિસાન કેડિટ કાર્ડ મળે છે, તેવું માછીમારો માટે પણ ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવશે. મોદીએ છેલ્લે અમરેલી જનતાને એક સૂત્ર દ્વારા સંકલ્પ લઇને મેં ભી ચોકીદાર બોલાવીને પોતાના ભાષણને વિરામ આપ્યો હતો. છેલ્લે ભારત માતા કી જય બોલાવી હતી.