મહારાષ્ટ્રના પુણેમાં ભાજપના એક કાર્યકર્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક મંદિર થોડા દિવસો પહેલાં બનાવ્યું હતું. પરંતુ હવે મંદિરમાંથી વડાપ્રધાનની છબી હટાવી દીધી છે.
મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં PM મોદીનું બનાવાયુ હતું મંદિર
પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાનની પ્રતિમા અને નિર્માણમાં વપરાયેલ લાલ આરસનો પથ્થર જયપુરમાંથી લાવવામાં આવ્યો હતો અને કુલ ખર્ચ લગભગ 1.6 લાખ રૂપિયા આવ્યો હતો. પુણે ઔંધ વિસ્તારમાં ગુરૂવારે એનસીપી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. એનસીપીના કાર્યકર્તા વિરોધ પ્રદર્શનમાં પૂજાની થાળી, પૂજન સામગ્રી અને પેટ્રોલ લઈને પહોંચ્યા હતા.
મંદિરમાંથી વડાપ્રધાન મોદીની મૂર્તિ ગાયબ
મંદિર બનાવનારા મયુર મુંડેએ જાણવાનો પ્રયત્ન કર્યો કે, આખરે કયા કારણોસર તેમણે મૂર્તિને હટાવી છે, પરંતુ તેમની સાથે સંપર્ક ના થયો. આ દરમ્યાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ ગુરૂવારે આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એનસીપીના શહેર પ્રમુખ પ્રશાંત જગતાપે માર્મિકપણે કહ્યું, શહેરમાં આશાવાદ ફેલાઈ ગયો છે કે મોદી માટે મંદિર નિર્માણ કર્યા બાદ હવે પેટ્રોલની કિંમતોમાં ઘટાડો આવશે અને મોંઘવારી ઘટશે. લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે. અમે અહીં આવ્યાં અને જોયુ કે મંદિરમાંથી ભગવાન ગાયબ છે.
વડાપ્રધાન મોદીએ રામ મંદિરનું નિર્માણ કરાવ્યું
37 વર્ષીય મુંડેએ પહેલાં કહ્યું હતું કે મંદિર વડાપ્રધાનને તેમની શ્રદ્ધાંજલિ છે. જેમણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. મંદિર બનાવનારા મયુર મુંડેએ કહ્યું હતું, વડાપ્રધાન બન્યાં બાદ મોદીએ ઘણાં બધા વિકાસ કાર્યો કર્યા છે અને જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હટાવવા માટે, રામ મંદિર નિર્માણ અને ત્રણ તલાક જેવા મુદ્દાઓનો સફળતાપૂર્વક ઉકેલ લાવ્યાં છે.