પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશમાં રેલી કરી જનસભા સંબોધી હતી. સભામાં તેમણે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નામદારોએ મારી છબી ખરાબ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ ઘણા લોકો મને પાડતા પાડતા પડી ગયા છે. નામદારના પિતાનું જીવન ભ્રષ્ટાચારી નંબર-1ના રૂપે સમાપ્ત થયું. આ લોકો દેશમાં અસ્થિર અને મજબૂર સરકાર બનાવવા ઈચ્છે છે.
પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશમાં રેલી કરી જનસભા સંબોધી હતી. સભામાં તેમણે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશના સાથિયો હવે તમને સમજાઈ ગયું જ હશે કે, છેલ્લા ત્રણ વર્ષોથી જુઠ્ઠાણું જ બોલાઈ રહ્યું છે. રોજ મોદી પર કાદવ ઉછાળવામાં આવે છે. જે તેમણે પોતે ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યુ છે. કાલે જ નામદારે ફરી સ્વીકાર્યુ છે કે મોદી વિરોધી અભિયાનનું લક્ષ્ય મોદીની છબીને ખરાબ કરવાનું છે.
મોદીએ વિપક્ષ પર કહ્યું કે, નામદાર કાન ખોલીને સાંભળી લે, આ મોદી સોનાની ચમચી લઈને અને રાજકુળમાં પેદા થયા નથી. આ મોદી તો ભારત માતાની ધૂળ ફાંકીને પેદા થયો છે. ફક્ત ભારત માટે જીવ્યો છે અને ભારત માતા માટે જ તપસ્યા કરી છે.
પીએમ મોદી સપા બસપા પર સભામાં જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ મહામિલાવટી લોકોને સમજાતું જ નથી કે હવે આવનારી ચૂંટણીમાં બચવા માટે ક્યો ખેલ કરવામાં આવે. મોદી માટે જે પ્લાન કર્યા હતા તે તો ફ્લોપ થઈ રહ્યા છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ગઠબંધનના આધારે સમાજવાદીપાર્ટી બહેન માયાવતીનો ફાયદો ઉઠાવ્યો છે. હવે બહેનજીને સમજાઈ ગયું છે કે કોંગ્રેસ અને સપાએ મળીને દાવ રમ્યો છે.આ ઉપરાંત તેમણે ચાર તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતા મતદારોને શાબાશી આપી હતી. આ ગરમીમાં ઉત્સાહભેર મતદાન બદલ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.