લોકસભા ચૂંટણીને લઇને પ્રચારનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે 'મેં ભી ચોકીદાર' અભિયાન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 500 જગ્યાઓ પર લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી સંબોધન-વાતચીત કરી.
ચોકીદાર ના કોઇ વ્યવસ્થા છે, ના યૂનિફોર્મ, આ એક ભાવના છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'મેં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી દેશને સંબોધિત કર્યો. વીડિયો કોન્ફરન્સથી તેમણે સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે 2013માં તેમણે કહ્યું હતું કે તેમનો એ પ્રયત્ન રહેશે કે તે જનતાના પૈસા પર પંજો નહીં પડવા દે. પીએમ મોદીએ કહ્યું એક ચોકીદારના રૂપમાં હું પોતાની જવાબદારી નિભાવીશ, 2014માં ભાજપે મને દાયિત્વ સોંપ્યું ત્યારબાદ મારે દેશના ખૂણે ખૂણામાં જવાનો સમય આવ્યો ત્યારે મેં દેશના લોકોને કહ્યું હતું કે તમે દિલ્હીની જવાબદારી મને આપી રહ્યા છો. જેનો મતલબ કે તમે ચોકીદાર બેસાડી રહ્યા છો.
ચોકીદાર એક સ્પ્રિટ છે, એક ભાવના છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ચોકીદાર ન કોઇ વ્યવસ્થા છે, ન કોઇ યૂનિફોર્મની ઓળખ છે ન કોઇ બંધનમાં બંધાયેલ છે. ચોકીદાર એક સ્પ્રિટ છે, એક ભાવના છે.
मैंने तब कहा था कि मेरी ये कोशिश रहेगी कि मैं जनता के पैसे पर पंजा नहीं पड़ने दूंगा। एक चौकीदार के रूप में मैं अपनी जिम्मेदारी निभाऊंगा: पीएम @narendramodi#MainBhiChowkidar
હવે 130 કરોડ હિન્દુસ્તાની લેશે શપથઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, 2019માં જ્યારે તેઓ શપથ લેશે, તો તે એકલા મોદી નહીં લે, 130 કરોડ હિન્દુસ્તાની શપથ લશે અને સૌથી મોટી શપથ હોય છે કે આપણે અધિકાર અને કર્તવ્યને સંતુલિત કરીશું.
તાલકટોરા સ્ટેડિયમમાં બેઠેલી એક યુવતીના સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે દેશના જનતા ફરીથે એક વખત અમને દેશની સેવા કરવાનો સમય આપવાની છે. મને ખુશી છે કે દેશના યુવાનો દૂરનું જુએ છે, અમે રાજકારણીઓ તો હજુ 11 શું થશે અથવા 21એ શું થશે તેમાં જ લાગેલા છે અને તમે શપથનું વિચારી રહ્યા છો.
2019 में जब मैं शपथ लूंगा, तो वो शपथ अकेला मोदी नहीं लेने वाला है, 130 करोड़ हिंदुस्तानी लेने वाले हैं और सबसे बड़ी शपथ होती है कि हम अधिकार और कर्तव्य को संतुलित करेंगे: प्रधानमंत्री श्री @narendramodi#MainBhiChowkidarpic.twitter.com/BL6dJDP2Mo
જેમણે દેશને લૂંટ્યો છે તેમને પૈસા-પૈસનો હિસાબ આપવો પડશેઃ પીએમ મોદી
ગ્વાલિયરની એક મહિલા શિક્ષકને ભ્રષ્ટાચાર પર જવાબ આપતા પીએમએ કહ્યું કે જેમણે દેશને લૂંટ્યો છે, તેમને એક-એક પૈસો પરત આપવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે 2014 બાદ તે ભ્રષ્ટાચારીઓને જેલના દરવાજા સુધી લઇ આવ્યા છે તેમનો અંતિમ નિર્ણય 2019 બાદ હશે.