કોંગ્રેસ નેતાઓએ કથિત રીતે મોદી તારી કબર ખોદાશે ના નારાઓ બોલ્યા હોવાના અહેવાલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વીના કર્યો વળતો પ્રહાર
PM મોદીએ શુક્રવારે મેઘાલયના શિલોંગમાં જાહેર સભાને સંબોધન કર્યું
મોદી તારી કબર ખોદાશે ના કથિત નારા પર PM મોદીનો વળતો પ્રહાર
દેશના લોકો એમ કહી રહ્યા છે કે, મોદી તેરા કમલ ખીલેગા: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મેઘાલયની રાજધાની શિલોંગમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન કરતી વખતે કોંગ્રેસને તેનું નામ લીધા વિના ભારે નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક લોકો કહે છે કે,મોદી તારી કબર ખોદાશે. પરંતુ દેશના લોકો એમ કહી રહ્યા છે કે, મોદી તેરા કમલ ખીલેગા.
મેઘાલયની રાજધાની શિલોંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસને ભારે નિશાન બનાવ્યા. આ સાથે વડાપ્રધાને એક નવું સૂત્ર પણ આપ્યું કે, મેઘાલયની માંગ, ભાજપ સરકાર. પીએમ મોદીએ કહ્યું, જ્યારે હું મેઘાલય વિશે વિચારું છું, ત્યારે હું પ્રતિભાશાળી લોકો, જીવંત પરંપરાઓ વિશે વિચારું છું, ત્યારે હું આશ્ચર્યજનક કુદરતી સૌંદર્ય વિશે પણ વિચારું છું. મેઘાલયનું સંગીત જીવંત છે. ફૂટબોલ માટે ઉત્કટ છે. મેઘાલયના દરેક ખૂણામાં સર્જનાત્મકતા છે.
કોંગ્રેસ પર કર્યો પલટવાર
વડાપ્રધાને નામ લીધા વિના કોંગ્રેસને નિશાન બનાવતા કહ્યું કે કેટલાક લોકોને દેશ દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે, તેઓ નિરાશામાં ડૂબી ગયા છે. તેઓ આજકાલ માળાનો જાપ કરે છે અને એમ કહી રહ્યા છે કે, મોદી તારી કબર ખોદાશે. પરંતુ દેશના લોકો એમ કહી રહ્યા છે કે, મોદી તેરા કમલ ખીલેગા.
#WATCH | Some people who have been rejected by the country are immersed in sadness and are now saying 'Modi teri kabar khudegi' but the people of the country are saying 'Modi tera kamal khilega': PM Narendra Modi, in Shillong pic.twitter.com/ZfyKaPg2F9
મેઘાલયના લોકો ભાજપ સાથે
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત સફળતાની નવી ઊંચાઈને સ્પર્શ કરી રહ્યું છે અને મેઘાલય તેમાં તેનું મજબૂત યોગદાન આપી રહ્યું છે. અમે તેને વધુ ઊંચાઈએ લઈ જવા અને રાજ્ય માટે કામ કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું, મને એમ કહીને આનંદ થાય છે કે, મેઘાલય અને ઉત્તરપૂર્વના લોકો કમળ અને ભાજપ સાથે છે.
શું હતો સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, કોંગ્રેસના નેતા પવન ખેડાએ પીએમ મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ગુરુવારે રાયપુર જતા પહેલા તેને દિલ્હી એરપોર્ટ પર પોલીસે અટકાવ્યા હતા. આ દરમિયાન સુપરીયા સુલે શ્રીનેટ સહિતના ઘણા કોંગ્રેસના નેતાઓ વિરોધ અને નારા લગાવતા હતા. આ નારા વચ્ચે મોદી તારી કબર ખોદાશે ના નારાઓ પણ કથિત રીતે બોલવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું. આ તરફ હવે પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના શિલોંગની રેલીમાં તેના પર હુમલો કર્યો.