આજે પીએમ મોદીએ રાજ્યસભાને સંબોધતા કહ્યું હતું કે રાજ્યસભાના નિર્વાચિત થયેલા નવા ઉપસભાપતિ એક તેજસ્વી અને શાનદાર અમ્પાયર છે, અહી સદનમાં ખેલાડીઓ કરતાં જો કે અમ્પાયર વધુ પરેશાન થતાં હોય છે."
રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટાયા હરિવંશ નારાયણ સિંહ
NDA ના સંયુક્ત ઉમેદવાર હતા JDU ના હરિવંશ સિંહ
RJD ના મનોજ ઝા સામે તેમણે વિજય પ્રાપ્ત કર્યો
કોરોના સંકટ વચ્ચે આજે મોન્સૂન સત્રના પ્રથમ દિવસે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી કરવાંઅ આવી હતી, આજે ફરી એકવાર NDA તરફથી ચાલુ ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ ઉમેદવાર તરીકે મેદાનમાં હતા, જ્યારે કે સામે RJD ના મનોજ ઝા 12 વિપક્ષી પાર્ટીઓના સંયુકત ઉમેદવાર તરકે હતા. જો કે JDU ના સભ્ય હરિવંશ નારાયણ સિંહ બીજી ટર્મ માટે ફરી વિજેતા બન્યા હતા.
I declare that Harivansh ji has been chosen as the deputy chairman of the Rajya Sabha: Rajya Sabha Chairman M.Venkaiah Naidu
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં કહ્યું હતું કે" હું હરિવંશજીને આ હોદ્દા પર ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. પીએમ મોદીએ કહ્યું કે એક પત્રકાર અને સામાજિક કાર્યકર તરીકે તેમને ઘણા લોકો પસંદ કરે છે. આપણે સૌ જોયું છે કે તેઓએ અગાઉ સંસદની કાર્યવાહી કેવી રીતે ચલાવી હતી."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે હરિવંશ નારાયણ સિંહની ચૂંટણી બાદ કહ્યું હતું કે - "હરિવંશજીએ સંસદમાં ઉત્પાદકતા અને સકારાત્મકતા વધારવા માટે પ્રયત્નો કર્યા છે. તેઓ લોકશાહીની મશાલ વહન કરે છે, તે બિહારના છે. જે લોકશાહી નીતિ રીતિ માટે જાણીતી ભૂમિ છે. તે બિહાર છે જેનો જેપી લોકનાયક અને બાપુના ચંપારણ સત્યાગ્રહ સાથે ઊંડો સંબંધ છે"
This is the second time he has been elected as the deputy chairman of the House. I congratulate him. He has been just to members of all parties: Congress Rajya Sabha MP Ghulam Nabi Azad on the election of NDA's Rajya Sabha deputy chairman candidate Harivansh pic.twitter.com/TzLbKp2brL
હરિવંશ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી, કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદે તેમને અભિનંદન આપતાં કહ્યું કે હરિવંશજી આ પદ માટે સંપૂર્ણ પાત્ર છે. આઝાદે કહ્યું કે અમને આશા છે કે અધ્યક્ષની ગેરહાજરીમાં તે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે કરશે."
કોણ છે હરિવંશ નારાયણ સિંહ?
64 વર્ષીય હરિવંશ નારાયણ સિંહ બિહારના સત્તાધારી પક્ષ JDU ના રાજ્યસભા સાંસદ છે અને 8 ઓગસ્ટ 2014 થી રાજ્યસભાના ઉપસભાપતિ છે. તેઓ સામાજિક પત્રકારીતા સાથે જોડાયેલા રહ્યા છે. એક પત્રકાર તરીકેની તેમની લગભગ 40 વર્ષની કારકિર્દી રહી છે જે બાદ તેમણે રાજનીતિમાં પગ મૂક્યો હતો. હરિવંશ સિંહ આ પહેલા પ્રભાત ખબર નામના અખબારમાં તંત્રી પદે પણ કરી કરી ચૂક્યા છે.