પંજાબમા નવા મુખ્યમંત્રી તરીકે આજે ચરણજીત સિંહ ચન્નીએ શપથ લીધા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભકામના પાઠવી અને કહ્યુું કે પંજાબની જનતા માટે સાથે કામ કરીશું
પંજાબના નવા મુખ્યમંત્રીને PM મોદીનો સંદેશ
મુખ્યમંત્રી બનવા બદલ ચન્નીને અભિનંદન પાઠવ્યા
ટ્વીટર પર ટ્વીટ કરીને સંદેશો પાઠવ્યો
પંજાબમાં નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીએ આજે શપથ લીધા. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ આજે તેમને અભિનંદન પાઠવ્યા છે. સાથેજ PM મોદીએ તેમને એવું પણ કહ્યું કે રાજ્ય સરકાર સાથે મળીને તેઓ પંજાબ માટે સારા કામો કરશે. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે નવા મુખ્યમંત્રીને રાજભવનમાં શપથ લેવડાવ્યા બાદ PM મોદીએ તેમને શુભકામના પાઠવી હતી.
Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab.
મુખ્યમંત્રી બન્યા બાદ ચરણજીત સિંહ ચન્નીએ બધા ખેડૂતોના વીજળી બીલ માફ કર્યા સાથેજ તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારને કૃષિ બિલ પરત લેવા પણ અપીલ કરશે. પંજાબના ખેડૂતો વીશે નવા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ ખેડૂતોની પૂરી મદદ કરશે. સાથેજ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું કે ખેડૂતો પર કોઈ પણ આંચ આવી તો તેઓ તેમની ગરદન બધાની સામે મુકી દેશે.
PMએ ટ્વીટર પર કર્યું ટ્વીટ
સમગ્ર મામલે વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી કે પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ચરણજીત સિંહ ચન્નીને અભિનંદન. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે પંજાબ સરકાર સાથે મળીને અમે રાજ્યની જનતા માટે સારા કામો કરીશું.
દલિત સમુદાયના પહેલા CM
આપને જણાવી દઈએ કે પંજાબમાં નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી કરવામાં આવી છે. જેમા તેઓ પંજાબના એવા પહેલા મુખ્યમંત્રી છે કે જેઓ દલિત સમુદાયમાંથી આવે છે. તેમના સિવાય સુખવિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીએ પણ મંત્રી પદની શપથ લીધી. જેમને રાજ્યના ઉપ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શપથ સમારોહ પછી રાજભવન પહોચ્યા હતા. જ્યા તેમણે ત્રણેય નેતાઓને અભિનંદન પાઠવ્યા. આપને જણાવી દઈએ કે રંઘાવા ગુરુદાસપુર જિલ્લાના ધારાસભ્ય છે. તેઓ કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં પણ મંત્રી હતા. અને પ્રકાશ સોની અમૃતસરથી ધારાસભ્ય છે અને તેઓ પણ કેપ્ટનની સરકારમાં શિક્ષણ મંત્રી હતા.
નવા CM પૂર્વ CMને મનાવશે
ઉલ્લેખનીય છે કે અમરિંદર સિંહે રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રી ચન્નીને રાહુલ ગાંધી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે નવા મુખ્યમંત્રી ચન્ની આજે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે મુલાકાત લેશે સાથેજ તેમને મનાવાના પણ પ્રયાસ કરશે.