જેસલમેર બોર્ડર પર જવાનો સાથે દિવાળી ઉજવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારવાદી શક્તિઓને સંદેશ આપ્યો છે. વડાપ્રધાને કહ્યું તે વિસ્તારવાદ 18મી સદીની વિચારધારા છે, આ વિચારમાં માનસિક વિકૃતિ છે અને જેનાથી સમગ્ર દુનિયા હેરાન છે.
નરેન્દ્ર મોદીનો દુશ્મનોને સંદેશ
દિવાળી પર સૈન્યને સંબોધન
ટેંક પર સવાર થઇને કરી ગર્જના
પાડોશી દેશ તરફ ઇશારો
ચીન કે પાકિસ્તાનનું નામ લીધા વગર જ મોદીએ કહ્યું કે ભારત આમ તો સમજાવવા અને સમજવામાં જ માને છે પરંતુ જો કોઇએ પણ ભારતને અજમાવવાનો પ્રયત્ન કર્યો તો પ્રચંડ જવાબ મળશે.
સૈન્યને સંબોધતા કહી આ વાત
મોદી સાહેબે સૈનિકોને સંબોધતા કહ્યું કે આજે દુનિયા જાણી રહી છે અને સમજી પણ રહી છે કે આ દેશ પોતાના હિત સાથે તસુભાર પણ સમજોતો નહી કરી લે.
#WATCH: Whenever history on the excellence of soldiers will be written and read, the Battle of Longewala will be remembered: PM Narendra Modi in Jaisalmer, #Rajasthanpic.twitter.com/d6KSUw7bzZ
સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે પીએમે કહ્યું કે ભારતનો આ રુત્બો, આ કદ અને તમારી શક્તિ અને પરાક્રમ જ કારણ છે કે આપણો દેશ આજે આટલો સુરક્ષિત છે. આજે વૈશ્વિક મંચ પર ભારત પ્રખરતાથી પોતાની વાત રાખી શકે છે.
વિસ્તારવાદના વિચારને ગણાવ્યો 18મી સદીનો
પાડોશી દેશો તરફ ઇશારો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ આજે વિસ્તારવાદી તાકતોથી પરેશાન છે અને આ એક માનસિક વિકૃતિ છે, તેમજ 18મી સદીની વિચારધારા દર્શાવે છે. આ વિચાર વિરુદ્ધ ભારત પ્રખર અવાજ બની રહ્યું છે.
વડાપ્રધાને આગળ કહ્યું કે, ભલે ઇન્ટરનેશનલ સહયોગ ગમે તેટલુ આગળ ન આવી ગયુ હોય, સમીકરણો બદલાઇ ગયા હોય પરંતુ આપણે ક્યારેય તે ભૂલવું ન જોઇએ કે સતર્કતા જ સુરક્ષાનો રસ્તો છે.