બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આર્મી, નેવી, એરફોર્સને PM મોદીએ આપી ખુલ્લી છૂટ, તમને જે યોગ્ય લાગે તે કરો

કતલની રાત / આર્મી, નેવી, એરફોર્સને PM મોદીએ આપી ખુલ્લી છૂટ, તમને જે યોગ્ય લાગે તે કરો

Last Updated: 07:44 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ હવે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ હવે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણનો સમાવેશ થાય છે.

ત્રણેય સેનાના પ્રમુખો મીટિંગમાં હાજર

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી પણ બેઠકમાં હાજર છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં પહેલગામ હુમલા પછીની સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

પહેલગામ હુમલા બાદ સરકાર કડક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ

મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાઈ રહેલી આ બેઠકમાં હુમલાની પરિસ્થિતિઓ, સુરક્ષા દળોની કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીએ પહેલગામ હુમલાના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. તેમણે અમરનાથ યાત્રા અને અન્ય નાગરિક પ્રવૃત્તિઓની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું.

26 લોકોનાં મોત બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ

અત્રે ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત, ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા હતા. તેને તાજેતરના વર્ષોમાં સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. હુમલા બાદ, ખીણમાં સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધ ચાલુ છે. આ માટે, સુરક્ષા દળો જગ્યાએ જગ્યાએ તપાસ કરી રહ્યા છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. આ પછી, ભારત સરકારે પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો. સિંધુ જળ સંધિ પણ સસ્પેન્ડ

PM-Demo

સિંધુજળસંધી તત્કાલ અસરથી રદ

પહલગામ હુમલા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી. આ પહેલીવાર છે, જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સસ્પેન્ડ કરવામાં આવી નથી. કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi High level Meeting Security forces Pahalgam attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ