કોરોના વાયરસમાં લોકડાઉનને લઈને પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓની વચ્ચે બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે કહ્યુ છે. જાણો ગૃહમંત્રી અમિત શાહે તમામ સીએમને શું સૂચન કર્યુ છે.
લોકડાઉન ભંગની ઘટનાઓ થઈ રહી છે. ત્યાં તાત્કાલીક પગલા ભરો
શાહે રાજ્યોને પીએમના ‘જાન હૈ તો જહાન હૈ’ના માર્ગદર્શન હેઠળ આગ વધવા કહ્યુ
ICMRના ડિરેક્ટરે એક પ્રેજન્ટેશન આપ્યુ
ગૃહમંત્રી અમિત શાહે બેઠકમાં કહ્યું છે કે, ‘જ્યાં જ્યાં લોકડાઉન ભંગની ઘટનાઓ થઈ રહી છે. ત્યાં તાત્કાલીક પગલા ભરી તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે. દુનિયામાં 2 લાખથી વધારે લોકોના મોત થયા છે. તેમની સરખામણીએ આપણી સ્થિતિ સારી છે. ’ તેમણે એમ પણ કહ્યુ કે કોરોના સામેની આ લડાઈ લાંબી છે. આપણે ધીરજતાથી લડવુ પડશે. લોકડાઉનનું પાલન કડકાઈથી થવુ જોઈએ. અમે સાવધાનીપૂર્વક રીતે કેટલાક વેપાર ધંધાને છુટ આપી છે.
ગૃહમંત્રીએ રાજ્યોને પીએમના ‘જાન હૈ તો જહાન હૈ’ના માર્ગદર્શન હેઠળ આગ વધવા કહ્યુ છે. આ દરમિયાન ICMRના ડિરેક્ટરે એક પ્રેજન્ટેશન આપ્યુ છે. લોકડાઉનને લઈને રણનીતિ બનાવવા માટે તેને મહત્વનું માનવામાં આવી રહ્યુ છે.
કોરોના અને લોકડાઉનની વચ્ચે પીએમ મોદીએ સોમવારે ચોથી વાર મુખ્યમંત્રીઓની સાથે વાતચીત કરી હતી. બેઠકમાં લોકડાઉન વધારવાને લઈને સમીક્ષા કરવા અને લોકડાઉન સમાપ્ત કર્યા બાદની યોજના અને તેને ચરણબદ્ધ રીતે કેવી રીતે અમલમાં મુકી શકાય તે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.