કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી એક પેનલે તેના નવા રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરની આસપાસ વધી શકે છે.
ત્રીજી લહેર સામે PM મોદીનો માસ્ટર પ્લાન તૈયાર
દવાનો બફર સ્ટોક તમામ જિલ્લામાં રાખવા આદેશ
રસીકરણનો વેગ વધારવા પણ કરી હાકલ
ગયા મહિને, કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી એક પેનલે તેના નવા રિપોર્ટમાં દેશમાં ત્રીજી લહેરને લઈને ચેતવણી આપવામાં આવી હતી જે બાદ ભવિષ્યના આયોજન માટે પીએમ મોદીએ તાબડબોબ આજ રોજ બેઠળ બોલાવી હતી અને રાજ્યોને દરેક જિલ્લામાં દવાનો બફર સ્ટોક રાખવાનો આદેશ કરતાં કહ્યું હતું કે રસીકરણ પર પણ રાજ્યો ભાર આપી કામ કરે અને મહત્વનું છે કે પીએમ મોદીએ રાજ્યોને આજની બેઠકમાં દવાઓનો બફર સ્ટોક રાખવા જણાવ્યું હતું ,કારણ કે જ્યારે બીજી લહેર પીક પર હતી ત્યારે દવાની ખેંચને લીધે બૂમરાડ પડી હતી દર્દીના સગાવહાલાં આમ તેમ ઈંજેક્શન અને દવા લેવા ભટકતા હતા. અને આથી જ સંભવિત ત્રીજી લહેર સાથે મજબૂતાઈથી લડવા આગતરૂ આયોજન કરવામાં આવી રહું છે જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલય પહેલેથી જ કહી ચૂક્યું છે કે દેશમાં હજુ બીજી લહેર ચાલી રહી છે.
દરેક જિલ્લામાં દવાઓનો બફર સ્ટોક રાખવા આદેશ
બેઠકમાં વડા પ્રધાન મોદીને આરોગ્ય માળખાકીય સુવિધામાં થયેલા વધારા અંગે માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદીએ બેઠક દરમિયાન દેશમાં કોવિડ -19 રસીકરણ અભિયાનની સમીક્ષા પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને દરેક જિલ્લામાં દવાઓનો બફર સ્ટોક રાખવા જણાવ્યું હતું. આગામી કેટલાક મહિનાઓ માટે વડાપ્રધાન
વેક્સિન ઉત્પાદન, પુરવઠો અને પ્લમ્બિંગની સમીક્ષા. પીએમ મોદીએ મ્યુટન્ટ્સના ઉદભવ પર નજર રાખવા માટે સતત જીનોમ સિક્વન્સિંગની જરૂરિયાત વિશે વાત કરી
ભારતમા તેજીથી થઈ રહ્યું છે કોરોના વાયરસ સામે વેક્સિનેશન
નોંધનીય છે કે ગઇકાલે જ દેશનાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું હતું એક ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને દેશનાં 35 જિલ્લાઓમાં કોરોના વાયરસ સંક્રમણ દર હજુ પણ 10 ટકાથી વધારે છે જ્યારે 30 જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણ દર 5થી 10 ટકાની વચ્ચે છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ભારતમાં બીજી તરફ તેજીથી લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ ભારતમાં એક જ દિવસમાં એક કરોડ કોરોના વાયરસ વેક્સિનનાં ડોઝ આપવાનો રેકોર્ડ બન્યો હતો. મોદી સરકાર અનુસાર દેશમાં 58 ટકા વસ્તીને ઓછામાં ઓછા એક ડોઝ આપી દેવામાં આવી છે જ્યારે 18 ટકા વસ્તી એવી છે જેને કોરોના રસીનાં બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
આજે કેટલા કેસ સામે આવ્યા?
સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર ભારતમાં 72 કરોડ કોરોના વાયરસ વેક્સિનનાં ડોઝ આપી દેવામાં આવ્યા છે ત્યારે આજે કોરોના વાયરસનાં નવા 34 હજાર 973 કેસ સામે આવ્યા છે. ભારતમાં હજુ 3 લાખ 90 હજાર દર્દીઓ કોરોના વાયરસ સંક્રમિત છે અને મોત સામે લડી રહ્યા છે.