પીએમ મોદી દ્વારા દર મહીને કરવામાં આવતા રેડિયો કાર્યક્રમ મન કી બાતથી કરોડો રૂપિયાની આવક પણ થઇ રહી છે. એક RTIમાં આ આવકનો ખુલાસો થયો છે.
વડાપ્રધાન બન્યા બાદથી જ રેડિયો પર કાર્યક્રમ કરે છે PM
મન કી બાતથી 30 કરોડથી વધારેની આવક
મન કી બાતની જાહેરાત પાછળ 7 કરોડ ખર્ચાયા
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તે બાદથી માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતની તેમણે શરુઆત કરાવી, આ કાર્યક્રમ લોકોમાં ખૂબ મનપસંદ પણ બન્યો જેમાં પીએમ મોદી દર મહીને વિવિધ મુદ્દાઓ પર દેશના નાગરિકો સાથે ચર્ચા કરતા.
મન કી બાત કાર્યક્રમને લઈને એક RTIમાં ખુલાસો થયો છે કે આ કાર્યક્રમથી ખૂબ કમાણી પણ થઇ રહી છે. ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતા આકાર્યક્રમથી છ વર્ષમાં 30 કરોડ અને 28 લાખ રૂપિયાની કમાણી થઇ છે. જોકે આ કાર્યક્રમ માટે જાહેરાત કરવા પાછળ 7 કરોડ ખર્ચાયા છે. ત્રણ ગણી આવક આ કાર્યક્રમથી કરવામાં આવી છે.
RTI મુજબ આ કાર્યક્રમથી કેટલી આવક થઇ
વર્ષ
આવક
2014-15
1.16 કરોડ
2015-16
2.81 કરોડ
2016-17
5.12 કરોડ
2017-18
10.58 કરોડ
2018-19
7.47 કરોડ
2019-20
2.56 કરોડ
2020-અત્યાર સુધી
58 લાખ
મન કી બાતની જાહેરાત કરવા માટે 7 કરોડ 29 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે પીએમ મોદીનો આ રેડિયો કાર્યક્રમ હવે લોકપ્રિય થઇ રહ્યો છે અને આ કાર્યક્રમ માટે પીએમ મોદી ઘણીવાર સલાહ પણ માંગે છે. અનિકેત ગૌરવ નામક એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ RTIમાં આ ખુલાસો સામે આવ્યો છે.