વર્ષ 2021માં પહેલીવાર પીએમ મોદી રેડિયો કાર્યક્રમમાં મન કી બાતના માધ્યમથી દેશને સંબોધિત કરી રહ્યા છે.
PM મોદી કરી રહ્યા છે મન કી બાત
2021ના વર્ષની પહેલી મન કી બાત
તિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ દુ:ખી : પીએમ
વર્ષ 2021માં પ્રથમ વખત PM કરશે મન કી બાત
વર્ષ 2021માં પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદીએ 'મન કી બાત' કરી હતી. આજે 73મી વખત રેડિયોના માધ્યમથી તેમણે દેશને સંદેશ આપ્યો. નોંધનીય છે કે આવતીકાલે દેશનું બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે આજની મન કી બાત પર દેશભરની નજર હતી.
દિલ્હી હિંસા પર નિવેદન
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં 26મી જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ દુખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનું છે. ગત વર્ષમાં આપણે અસાધારણ ધીરજ અને સાહસનો પરિચય આપ્યો છે. આ વર્ષમાં પણ મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે.
પીએમ મોદીએ કહ્યું કે હું જ્યારે મન કી બાત કરું છું ત્યારે એવું લાગે છે કે તમારી વચ્ચે જ, તમારા પરિવારના સદસ્યના રૂપમાં છું. આ મહિનામાં ક્રિકેટની પિચ પર ખૂબ સારા સમાચાર મળ્યા. ક્રિકેટ ટીમે શરૂઆતમાં મુશ્કેલી બાદ પણ શાનદાર જીત હાંસલ કરી. આપણાં ખેલાડીઓની મહેનત અને ટીમવર્ક પ્રેરણા આપનાર છે.
અમૃત મહોત્સવની જાહેરાત
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે અમૃત મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. એવામાં આપણાં મહાનાયકોની સ્થાનિક જગ્યા વિષે તપાસ કરવાનો ઉત્તમ સમય છે જેમના કારણે આઝાદી મળી.
યુવા લેખકોને નવી તક
પીએમ મોદીએ કહ્યું કે યુવા લેખકો માટે એક નવું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જેની મદદથી બધા જ રાજ્યના અને બધી ભાષાના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશમાં મોટી સંખ્યામાં ઘણા વિષયો પર લખનારા લેખકો તૈયાર થશે જેમનો ભારતીય વિરાસત અને સંસ્કૃતિ પર ઊંડો અભ્યાસ હશે. આપણે આવી પ્રતિભાઓને મદદ કરવી જોઈએ. અને આ કાર્યક્રમથી ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા thought leadersનો એક વર્ગ તૈયાર થશે.
પીએમ મોદીએ કહ્યું કે મને મન કી બાતમાં સૌથી સારું એ લાગે છે કે મને ઘણું બધુ શીખવા મળે છે અને વાંચવા મળે છે. એક પ્રકારે પરોક્ષ રૂપે તમારા બધાથી જોડાવવાનો અવસર મળે છે.
"हमें ऐसी उभरती प्रतिभाओं की पूरी मदद करनी है । इससे भविष्य की दिशा निर्धारित करने वाले thought leaders का एक वर्ग भी तैयार होगा ।"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) January 31, 2021
इन सबके बीच, दिल्ली में, 26 जनवरी को तिरंगे का अपमान देख, देश, बहुत दुखी भी हुआ | हमें आने वाले समय को नई आशा और नवीनता से भरना है | हमने पिछले साल असाधारण संयम और साहस का परिचय दिया | इस साल भी हमें कड़ी मेहनत करके अपने संकल्पों को सिद्ध करना है : PM @narendramodi#MannKiBaat