લદાખમાં ચીન સાથે સીમા વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સામાજિક પરિષદ ( UN-ECOSOC )ના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કર્યું. ડીજીટલ માધ્યમથી કરવામાં આવેલ આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત મોટી મોટી આફતો સામે દ્રઢતાથી લડ્યું છે અને કોરોના સામેની લડાઈને જનઆંદોલન બનાવી દેવામાં આવ્યું છે.
UN સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટણીમાં જીત બાદ પીએમનું પ્રથમ સંબોધન
ભારત દરેક આફત સામે કટિબદ્ધતાથી લડ્યું છે : PM મોદી
વિકાસશીલ દેશોને અમે મદદ કરી રહ્યા છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના વાયરસ સામે લડાઈમાં અમે 150થી વધારે દેશોમાં મેડિકલ અને અન્ય સહાયતાઓ વધારી. તેમણે આગળ કહ્યું કે 'ભારતે છેલ્લા પાંચ વર્ષમાં 38 મિલિયન કાર્બન ઉત્સર્જન ઓછું કર્યું છે અને અમે ગરીબો માટે ઘર બનાવ્યા છે. ગરીબોની સારવાર માટે આયુષ્માન યોજના બનાવી. દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો.'
પીએમ મોદીએ કહ્યું કે 'ભારત દરેક આફતો સામે મજબૂતીથી લડ્યું છે અને કોરોના સામેની લડાઈને જનઆંદોલન બનાવી દેવામાં આવ્યું છે. અમે સાર્ક કોવિડ ઈમરજન્સી ફંડ બનાવ્યું. કોરોના વાયરસના કારણે ઉદ્ભવેલ આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે આત્મનિર્ભર ભારત શરુ કરવામાં આવ્યું. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી. આમારો ઉદ્દેશ છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. કોરોના સામેની લડાઈમાં વિકાસશીલ દેશોની મદદ કરવામાં આવી રહી છે.'
પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર સામાજિક પરિષદના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા જેમાં નોર્વેના વડાપ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પણ ઉપસ્થિત હતા. નોંધનીય છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત 2021-22ના સત્ર માટે અસ્થાયી સદસ્ય બન્યું છે. સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટણીમાં જીત બાદ આ પહેલો મોકો હતો જયારે પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું.