કેન્દ્રની મોદી સરકારે DAP ખાતર પરની સબસિડીમાં 140 ઘણો વધારો કર્યો છે. હવે ખેડૂતોને DAP ખાતરની એક થેલી પર 500 રુ.ને બદલે રુ.1200ની સબસિડી મળશે.
ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર
DAP ખાતર પરની સબસિડીમાં 140 ટકાનો વધારો
ખેડૂતોને હવે એક થેલી 1200 રુપિયામાં મળશે
પહેલા એક થેલી 2400 રુપિયામાં મળતી હતી
એક થેલી દીઠ કેન્દ્રે જાહેર કરી 1200 રુપિયાની સબસિડી
પ્રધાનમંત્રી મોદીએ ખાતરના ભાવ પર એક હાઈ લેવલની મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં ખાતરના ભાવના મુદ્દે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં અધિકારીઓએ પ્રધાનમંત્રીને ખાતરના ભાવ સંબંધિત તમામ મુદ્દાઓથી વાકેફ કર્યાં હતા. બેઠકમાં પ્રધાનમંત્રીને જણાવાયું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફોસ્ફરિક એસિડ અને એમોનિયમ એસિડના ભાવમાં જંગી વધારો થયો હોવાથી ઘરઆંગણે ખાતરના ભાવ વધારે છે.
અધિકારીઓની વાત સાંભળીને પ્રધાનમંત્રી બોલ્યાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલેને ખાતરના ભાવમાં ગમે તેટલો વધારો થયો હોય પરંતુ આપણે તો આપણા ખેડૂતોને જુના ભાવે જ ખાતર આપવાનું છે.
હવે ખેડૂતોને કેટલી સબસિડી મળશે
ખેડૂતોને હવે 1200 રુપિયામાં ડીએપીની એક થેલી મળશે. ગયા વર્ષે ડીએપીની એક થેલીનો ભાવ 1700 રુપિયા હતો પરંતુ કેન્દ્રની 500 રુપિયાની સબસિડી સાથે ખેડૂતોને 1200 રુપિયામાં થેલી મળતી હતી. પહેલા 500 રુપિયાની સબસિડી મળતી હોવાથી ખેડૂતોને ડીએપીની એક થેલી 1900 રુપિયામાં મળતી હતી.
આ સબિસિડીથી સરકારને તિજોરી પર કેટલો બોજો પડશે
ખાતર પરની સબિસિડીમાં વધારાને કારણે કેન્દ્ર સરકારની તિજોરી પર 14,775 કરોડનો બોજો પડશે.
બેઠકમાં પ્રધાનમંત્રી શું બોલ્યાં
બેઠકમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ પરત્વે કટિબદ્ધ છે અને ખેડૂતો પર વધારાનો કોઈ બોજો ન પડે તેની ખાતરી રાખવા સરકાર જરુરી તમામ પગલાંઓ ભરશે. મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલેને ખાતરના ભાવમાં ગમે તેટલો વધારો થયો હોય પરંતુ આપણે તો આપણા ખેડૂતોને જુના ભાવે જ ખાતર આપવાનું છે.