વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલી રહેલા નિર્માણ કાર્ય નું ડ્રોન કેમેરાની મદદથી નિર્માણ કાર્ય ક્યાં સુધી પહોંચ્યું તે અંગેની તમામ માહિતી મેળવી હતી. ત્યારે રાજકોટમાં મોનોલિથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજી અંતર્ગત ટનલ ફોર્મવર્ક સિસ્ટમ ના માધ્યમથી પુને ની કંપની આઉટીનોડ ફોર્મવર્ક પ્રોવાઇડાર દ્વારા ટેકનોલોજી પ્રોવાઇડ કરવામાં આવી રહી છે. જ્યારે કે તેનું નિર્માણ કાર્ય માલાણી કન્સટ્રકશન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજી અંતર્ગત ચોક્કસ પ્રકાર ના ટ્ટનલ મોડ્યુલ ને બેસાડવામાં આવે છે. જેના કારણે કોંક્રિટ ની દીવાલો અને સ્લેબ નું કાર્ય એક દિવસમાં પૂર્ણ કરી શકાય છે. જે કામ પૂર્વ કરતા દિવસો વીતી જતા હોય છે. જ્યારે કોઈ પણ લો રાઇઝ કે હાઈ રાઈઝ બિલ્ડિંગ બનાવતી વખતે.
શું છે આ ટેકનોલોજી ની વિશેષતા
રાજકોટમાં મોનોલીથિક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેની વિશેષતાઓને વાત કરવામાં આવે તો
1. આ પ્રકાર ની ટેકનોલોજીના ઉપયોગ થી નિર્માણ કાર્ય ઝડપથી થઇ શકે છે.
2. ઉપયોગ શરૂ કર્યા પછી બાંધકામ અંગે દેખરેખ, સાર સંભાળ ઓછો રાખવી પડે છે
3. બાંધકામ પ્રમાણમાં મજબૂત અને ટકાઉ બને છે
4. ટ્ટનલ સિસ્ટમ માં બોક્ષ પ્રકારની કન્સટ્રકટીવ રચના હોવાના કારણે ભૂકંપ, વાવાઝોડા સહિત ની કુદરતી આફતો થી રક્ષણ મેળવી શકાય છે
રાજકોટમાં નિર્માણ પામી રહેલા 1144 જેટલા આવાસો અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ડ્રો પણ કરવામાં આવ્યો છે. જેમના લાભાર્થી ની પસંદગી પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ત્યારે વર્ષ 2021 ના અંતમાં લાભાર્થીઓને નિર્માણ પામી રહેલા આવાસોની સોપણી પણ કરવામાં આવશે.
1 જાન્યુઆરી 2021 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ સહિત દેશભરના શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઈ ખાતમુહુર્ત કર્યું હતું. ત્યારે ખાતમુરત કર્યાના છ મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના છ શહેરોમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય અંગે રીવ્યુ લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ અત્યાર સુધીના સૌથી ઝડપી આવાસ જુદી જુદી ટેકનોલોજી અંતર્ગત દેશના છ જેટલા શહેરોમાં નિર્માણ પામશે. અને બાદમાં સમગ્ર દેશમાં આ જ પ્રકારે આવાસો તૈયાર કરવાનું સ્વપ્નું સરકાર સેવી રહી છે.