આજે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન મેગા ડ્રાઈવ, PM મોદીના જન્મ દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
આજે PM મોદીના જન્મદિવસ અનોખી ઉજવણી
સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાશે
વડોદરામાં સવારથી જ 125 સેન્ટર પર મેગા ડ્રાઈવ
આજે 17 સપટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે ત્યારે વડોદરામાં સવારથી જ વેક્સિનેશન મેગા ડ્રાઈવનો પ્રારંભ થઈ ગયો છે. મહત્વનું છે કે આજે PM મોદીના જન્મ દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.તેમજ આજે વડાપ્રધાનના જન્મ દિવસે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0,સ્વચ્છ ભારત મિશન, 100 ટકા વેક્સિનેશન થયેલ ગામના સરપંચોનું સન્માન કરવામાં આવશે તેમજ વડોદરા શહેર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ 560 લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કીટ તેમજ લાભાર્થીઓને ગેસ કનેક્શનના સબસ્ક્રીપ્શન વાઉચરનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર લાભાર્થીઓ ગેસ જોડાણ મેળવી શકશે
વડોદરામાં સવારથી જ 125 સેન્ટર પર મેગા ડ્રાઈવ
આ દિવસને ખાસ બનાવવા માટે આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યમાં 35 લાખ લોકોના વેક્સિનેશ માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેને પગલે વડોદરામાં વહેલી સવારથી જ 125 સેન્ટર પર મેગા ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 1 લાખ 10 હજાર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તો સવારથી જ લોકો વેક્સિન લેવા માટે સેન્ટરો પણ આવી રહ્યા છે.
ગુજરાતમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક
વડાપ્રધાન મોદીના 71માં જન્મ દિવસને યાદગાર બનાવવા સમગ્ર રાજ્યમાં આજે વેક્સિન મેગા ડ્રાઈવ યોજાનાર છે ત્યારે આ મેગા ડ્રાઈવ થકી રાજ્યમાં 7 હજાર 500 ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય સિદ્ધ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધીમાં 5.33 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચુકી ત્યારે આજે PM મોદીના જન્મ દિવસે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજી ગુજરાતમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે.
17 સપ્ટેમ્બરે PMનો 71મો જન્મદિવસ
પ્રધાનમંત્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા ગામ વડનગરમાં થયો હતો. મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો હતો. નરેન્દ્ર મોદીએ 1972માં RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.1998માં તેઓ રાષ્ટ્રીય મહાસચીવ પણ બન્યા. નરેન્દ્ર મોદી 3 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2001માં તે પહેલીવાર ગુજરાતના CM બન્યા અને 2013માં ભાજપે તેમનું નામ પ્રધાનમંત્રી પદના ઉમ્મેદવાર તરીકે જાહેર કર્યું. જેની ચૂંટણીમાં ભાજપે 282 સીટો પર વિજય હાંસીલ કર્યો અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ 2019ની ચૂંટણીમાં ભાજપે 300 સીટોથી વિજય મેળવ્યો.