વિવિધ શહેરમાં અલગ રીતે PM મોદીના જન્મ દિવસની ઉજવણી,અમદવાદના બાપુનગરમાં નમો વન બનાવવામાં આવશે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલા બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 71 હજાર છોડવાનોને ઉછેરવામાં આવશે
વિવિધ શહેરમાં અલગ રીતે જન્મ દિવસની ઉજવણી
અમદવાદના બાપુનગરમાં નમો વન બનાવવામાં આવશે
PM મોદીના જન્મદિવસ નિમિતે 71 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ તૈયાર
આજે વડાપ્રધાન મોદીનું જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મ દિવસને ખાસ બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, આજે PM મોદીના રાજ્યમાં વેક્સનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યો છે તો બીજી તરફ રાજ્યમાં વિવિધા કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે.
અમદવાદના બાપુનગરમાં નમો વન બનાવવામાં આવશે
અમદવાદના બાપુનગરમાં નમો વન બનાવવામાં આવશે તેવું નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે એટલું જ નહીં આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો વનમાં વૃક્ષારોપણ માટે છોડવાનું રોપણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલા બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 71 હજાર છોડવાનોને ઉછેરવામાં આવશે આમ PM મોદીના 71માં જન્મ દિવસે 71 હજાર છોડવાનોઓનું વૃક્ષારોપણ કરી આ દિવસને ખાસ દિવસ બનાવવામાં આવી રહ્યો છે. સુરતમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોષ્ટિક તત્વોથી ભરપૂર 71 કિલોની વિશેષ કેક તૈયાર કરવામાં આવી અને તેને કુપોષિત બાળકોને વિતરણ કરવામાં આવી હતી.
વિવિધ શહેરમાં અલગ રીતે જન્મ દિવસની ઉજવણી
મહત્વનું છે કે આજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિતે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં 500 થી વધુ જગ્યા પર વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં સવારથી જ લોકો વેક્સિનેશન માટે આવી રહ્યા છે. વડોદરામાં શહેરમા 125 જગ્યા પર વેક્સિનેશન ચાલી રહ્યું છે જેમાં સીટી બસ સ્ટેશન પર વેક્સિનેશન કેમ્પ લગાવવામા આવ્યો છે જ્યાં સીટી બસ સ્ટેશને મુસાફરોને વેક્સિન આપવામાં આવી રહી છે
તો આ તરફ રાજકોટમાં પણ રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં 50 હજાર લોકોને વેક્સિન આપવાનો મનપાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સોસાયટી કે શેરીમાં જઈને મહાપાલિકાની ટીમ વેક્સિન આપી રહી છે વેક્સિનના આ મહા અભિયાનને સાર્થક બનાવવા મનપા કમિશનર અમિત અરોરાએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી છે.
PM મોદીના જન્મદિવસ નિમિતે 71 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ તૈયાર
મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી થઇ છે.મહેસાણાના એચ.એલ.રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીના 71માં જન્મદિવસ નિમિતે 71 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજના દિવસે 171 દંપતી દ્વારા ભગવાન રામની આરતી કરી પીએમ મોદીની અનોખી ઉજવણી કરાઇ રહી છે સાથે જ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરાઇ છે તેમજ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરાઇ રહ્યું છે અહીં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાન દ્વારા કરાયું છે.
PM મોદીના વતન વડનગરમાં જન્મદિવસની ઉજવણી
આજે પીએમ મોદીના વતન વડનગરમાં પણ તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે વડનગરવાસીઓ, તેમના મિત્રો, શિક્ષકોએ તેમને યાદ કરી જૂની વાતો યાદ કરીને વડનગરવાસીઓએ PMને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ પોતાનું બાળપણ અને યુવાની વડનગરમાં વિતાવી છે ત્યારે બાળપણના શિક્ષક તેમને ભણાવવાનો આજે ગર્વ અનુભવી રહ્યા છે. તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદી ભાષા અને ગણિતમાં ખુબ રસ ધરાવતા સાથે સાંસ્કૃતિક વારસા સાથે પણ બહુ જ લગાવ હતો તો પીએમ મોદીના સ્કૂલ કાર્યકાળના મિત્રોએ પણ બાળપણની વાતો યાદ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી બાળપણથી જ ખુબ હોશિયાર હતા અને તેમને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ખુબ રસ હતો જોગીદાસ ખુમાણનું પાત્ર તેમને એક નાટકમાં જોરદાર નિભાવ્યુ હતુ તેઓ બાળપણથી જ સાહસી અને સમાજ સેવી હતા.
PM મોદીને મળેલી વિવિધ ગિફ્ટની પણ હરાજી
આજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે તેમને મળેલી વિવિધ ગિફ્ટની પણ હરાજી કરવામાં આવનાર છે. PM મોદીને મળેલી ઉપહાર, સ્મૃતિ ચિન્હોની ઈ હરાજી કરવામાં આવનાર છે. મહત્વનું છે કે આજથી 7 ઓક્ટોમ્બર સુધી વેબસાઈટથી આ હરાજી થનાર છે ત્યારે વડાપ્રધાન મોદીની ગિફ્ટ અને સ્મૃતિ ચિન્હો સાથે ઓલિમ્પિક ખેલાડીઓના સ્પોર્ટસ ગિયર અને ઉપકરણની હરાજી થશે મહત્વનું છે કે સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ હરાજી થનાર છે ત્યારે હરાજીમાંથી મળનાર રકમ નમામી ગંગે મિશનને આપવામાં અપાશે.