સરકારી બાબુઓને વડાપ્રધાન મોદી દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. જેમા વડાપ્રધાન મોદીએ તેમને 31 ઓક્ટોબર પહેલા બધાજ પેન્ડિંગ કામ પતાવા આદેશ આપ્યો છે
સરકારી બાબુઓને PM મોદીનો મોટો આદેશ
પેન્ડિંગ બધાજ કામ પૂરા કરવા આદેશ આપ્યો
31 ઓક્ટોબર સુધી બધા કામ પુરા કરવા પડશે
વડાપ્રધાન મોદીએ આદેશ આપ્યા છે કે એક મહિનામાં સરકારી કચેરીઓમાં જે પણ પેન્ડીંગ કામો પડ્યા છે. તે પૂરા કરવામાં આવે. જુની જે પણ ફાઈલો પડી છે. તે બધી ફાઈલોનો નિકાલ લાવવા કહ્યું છે. સાથેજ સંસદમાં જે પણ આશ્વાસનો મંત્રાલયે આપ્યા છે તે બધાજ કામ 31 ઓક્ટોમ્બર પહેલા પતાવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
કેબિનેટ સચીવે દરેક મંત્રાલયને પત્ર લખ્યો
સમગ્ર મામલે કેબિનેટ સચિવ દ્વારા પણ મંત્રાલયને તેમજ અન્ય વિભાગોને પત્ર લખવામાં આવ્યો છે. જેના કારણે 13 સપ્ટેમ્બરથી બધા કામે લાગી ગયા છે. ઓક્ટોમ્બરથી આ સ્વચ્છતા મુહિમ શરૂ થવાની છે. જેને ડેડલાઈન પહેલા પૂરી કરવા માટે વડાપ્રધાને આદેશ આપ્યા છે.
કામગીરીની સમીક્ષા કરવામાં આવશે
PM મોદીના આદેશ પર કેબિનેટ સચિવે દરેક મંત્રાલયને પત્ર લખ્યો છે. સાથેજ તેમની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આી રહી છે. પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ હાલ જે નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તેની સમિક્ષા રાખવા પર જોર આપ્યું હતું. જે વાતને ધ્યનમાં રાખીને દરેક મંત્રાલયોએ કામ કરવું જોઈએ.
2 ઓક્ટોબર થી કામકાજ શરૂ થશે
જે પણ જૂની ફાઈલો પડી છે તેનું કામકાજ 2 ઓક્ટોબરથી શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેથી ગાંધી જયંતીને આ વર્ષે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસના રૂપમાં મનાવામાં આવશે. ખાસ કરીને લોકોએ જે ફરિયાદો કરી છે. તે ફરિયાદોનું નિવારણ પણ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં લાવવા માટે સૂચન આપવામાં આવ્યું છે.
સાસંદનો પણ ખાસ સૂચના
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આદેશ બાદ સંસદમાં જે પણ આશ્વાસન આપવામાં આવ્યા છે તેને લઈને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવશે. સાથેજ દરેક સાંસદોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક કામ તેઓ જલ્દીથી જલ્દી સમાપ્ત કરે.