ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને અફઘાની હિંદુ અને શીખોને શરણ આપવાનો અધિકારીઓને નિર્દેશ આપ્યો.
અફઘાનિસ્તાન મામલે પીએમ મોદીએ બેઠક કરી
અફઘાનમાંથી આવનાર હિંદુઓ અને શીખોને શરણ આપવાનો આદેશ આપ્યો
આપણે શીખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ શરણ આપવી જોઈએ
પ્રધાનમંત્રી મોદીએઅફઘાનિસ્તાન મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને આદેશ આપ્યો કે અફઘાનિસ્તાનમાંથી જે પણ હિંદુઓ અને શીખો ભારત આવવા માગતા હોય તેમને દેશમાં શરણું આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદીએ એ પણ કહ્યું કે ભારતે ન માત્ર પોતાના નાગરિકોની ચિંતા કરવી જોઈએ પરંતુ આપણે સિખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ શરણ આપવી જોઈએ જે ભારત આવવા માંગે છે. આપણે તમામ સંભવ મદદ આપવી જોઈએ. મદદ માટે ભારત તરફ દેખી રહેલા આપણા અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવામાં આવે.
પીએમ મોદીએ આજે સીસીએસની બેઠકમાં અધિકારીઓને ભારત તરફથી મદદની રાહ જોઈ રહેલા તમામ અફઘાન નાગરિકોને મદદ પૂરી પાડવા સૂચના આપી છે.
પીએમ મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી, જેમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તા પર અંકુશના પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. જોકે, બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે તેમણે કંઈ કહ્યું નહીં.
બેઠકમાં ટોચના કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા, અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત આર ટંડન અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર હતા .
અફઘાનિસ્તાન માટે સ્પેશ્યલ નંબર જાહેર
આ બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે મંગળવારે વિદેશ મંત્રાલય તરફથી 24 કલાક ચાલનારા વિશેષ અફઘાનિસ્તાન સેલના નનંબર પણ જાહેર કર્યા. સ્પેશ્યલ સેલને અફઘાનિસ્તાનથી પ્રત્યાવર્તન અને અન્ય સમસ્યાઓના સમન્વય માટે બનાવવામાં આવ્યું છે.