પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભાભીનું નિધન થયું છે. પીએમ મોદીનાં મોટા ભાઇ પ્રહલાદ મોદીનાં પત્નીનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભાભીનું નિધન થયું છે. પીએમ મોદીનાં મોટા ભાઇ પ્રહલાદ મોદીનાં પત્નીનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. ભગવતીબેનને સવારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદીનાં મોટા ભાઇ એટલે કે પ્રહલાદ મોદી કે જેમની 55 વર્ષીય પત્ની એટલે કે મોદીનાં ભાભી કે જેમનું નામ ભગવતીબેન મોદી છે અને તેઓ પ્રહલાદ મોદીનાં પત્ની છે. તેઓનું આજનાં રોજ હાર્ટ એટેક આવતાં નિધન થયું છે.
પ્રહલાદ મોદીનાં પત્ની ભગવતીબેનને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યાં બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું. ત્યારે તેમનાં અવસાનને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તમને મળતી માહિતી મુજબ વધુમાં જણાવી દઇએ કે આજે ૧૧ વાગ્યાનાં સુમારે તેમનું નિધન થયું છે. ત્યારે આજે સાંજનાં ૫ વાગ્યાની આસપાસ તેમનાં દેહને થલતેજ ખાતે આવેલાં સ્મશાન ગૃહમાં વિધિવત રીતે લઈ જઈને તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.