સોમવારે બહાર પડેલા એક લેટેસ્ટ સર્વેમાં એવું જણાવાયું છે કે મહામારીની શરુઆત પછી મોદી સરકારના અપ્રુવલ રેટિંગ્સમાં સૌથી મોટો વધારો થયો છે.
પીએમ મોદીના અપ્રુવલ રેટિંગમાં થયો મોટો સુધારો
પ્રાઈવેટ એજન્સી LocalCirclesના સર્વેમાં ખુલાસો
મહામારી બાદ અપ્રુવલ રેટિંગમાં થયો સૌથી મોટો સુધારો
8મી વર્ષગાંઠે મોદી સરકારને એક મોટી ખુશખબર મળી છે. લેટેસ્ટ સર્વેમાં એવો ખુલાસો કરાયો છે કે મહામારી બાદ મોદી સરકારના અપ્રુવલ રેટિંગમાં મોટો સુધારો થયો છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના શાસનના 8 વર્ષ પૂરા થયા છે અને સરકાર તેની ઉજવણી કરી રહી છે.
LocalCirclesના સર્વેમાં કહેવાયું-મોદી સરકારના અપ્રુવલ રેટિંગમાં વધારો થયો
સર્વે કરતી પ્રાઈવેટ એજન્સી LocalCircles દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં મોદી સરકારને લઈને કેટલાક સકારાત્મક પાસા જણાવાયા છે. સર્વે અનુસાર, ભારતમાં મહામારી શરુ થયા પછી મોદી સરકારના અપ્રુવલ રેટિંગમાં વધારો થયો છે. જોકે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવવધારા અને બેરોજગારી જેવા મુદ્દે લોકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
બીજા કાર્યકાળમાં મોદી સરકારે લોકોની આશા અપેક્ષાઓ પૂરી કરી
સર્વે અનુસાર, બીજા કાર્યકાળમાં મોદી સરકારે લોકોની આશા અપેક્ષાઓ પૂરી કરી છે અથવા તો આશા કરતા પણ વધારે કામ કર્યું છે. સર્વેમાં કુલ 64,000 લોકોએ ભાગ લીધો હતો જેમાં 67 ટકા લોકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે મોદી સરકારે આશા પૂરી કરી છે. કોરોનાની બીજી લહેરમાં મોદી સરકારના અપ્રુવલ રેટિંગ 51 ટકા હતું જે 2020માં વધીને 62 ટકા થયું હતું.
કોરોનાની ત્રીજી લહેરને અટકાવવાની સરકારની તૈયારી સારી હતી-સર્વેમાં લોકોએ કહ્યું
સર્વેમાં ભાગ લીધેલા લોકોએ એવું જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે મોદી સરકાર પૂરતી અને સારી તૈયારી કરીને બેઠી હતી અને અર્થવ્યવસ્થાને સારી રીતે સંભાળી હતી. જોકે સર્વેમાં બેરોજગારી વિશે મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 47 ટકા લોકોએ એવું જણાવ્યું કે મોદી સરકારે બેરોજગારીના મોરચે નિષ્ફળ નીવડી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં જરુરી વસ્તુઓના ભાવ ઘટ્યા નથી- 73 ટકા લોકોનો મત
73 ટકા લોકોએ એવો મત વ્યક્ત કર્યો કે છેલ્લા ત્રણ વર્ષમાં આવશ્યક ચીજવસ્તુઓ અને જીવનનિર્વાહના ખર્ચમાં ઘટાડો થયો નથી, જે પીએમ મોદી માટે એક મુખ્ય ફ્લેશ પોઇન્ટ છે, જે 2024 માં યોજાનારી ચૂંટણીઓમાં ત્રીજી મુદતની માંગ કરી રહ્યા છે.આ સર્વેક્ષણના કેટલાક અન્ય તારણો અહીં પ્રસ્તુત છે, જે 30 મેના રોજ તેમના કાર્યકાળના આઠ વર્ષ પૂર્ણ કરતી વખતે પ્રકાશિત કરવામાં આવ્યા હતા
સર્વેના મુખ્ય તારણો
73% લોકોએ કહ્યું કે તેઓ તેમના ભવિષ્ય અને તેમના પરિવારો વિશે આશાવાદી છે
44 ટકા લોકોનું માનવું હતું કે સરકારે હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે પૂરતા પગલાં લીધાં નથી.
સર્વેમાં સામેલ 60 ટકા લોકોએ કહ્યું કે સાંપ્રદાયિક સૌહાર્દને સુધારવામાં સરકાર અસરકારક રહી છે જ્યારે 33 ટકા લોકો અસહમત છે.
50 ટકાથી વધુ લોકોએ કહ્યું કે ભારતમાં વેપાર-વાણિજ્ય કરવું સરળ થઈ ગયું છે.