શુક્રવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના ભાજપ કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને તેમના સંબોધનમાં દેશના ખેડુતો માટે લાવવામાં આવેલા બિલ હેઠળ સુધારા અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું અને કાર્યકરોને અપીલ કરી હતી કે તેઓ ખેડૂતોને જઈને સમજાવે અને આ બિલ વિશે જાણકારી આપે.
આજે મોદી સરકારે પસાર કરેલા ત્રણ ખેડૂત કાયદાઓ વિરુદ્ધ અપાયું છે ભારત બંધનું એલાન
પીએમ મોદી એ દીનદયાળ ઉપાધ્યાય જયંતી પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન
દેશભરના ભાજપ કાર્યકર્તાઓને તેમણે કહ્યું, ખેડૂતોની વચ્ચે જાઓ અને બિલ વિશે જાણકારી આપો
કૃષિ બિલ ને લઇને પીએમ મોદી એ કહ્યું કે છેલ્લા દિવસોમાં અમારી સરકારે યુવા અને ખેડૂતો ને લઇને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. પીએમ મોદી એ કહ્યું કે લોકોના જીવનમાં સરકાર જેટલું ઓછી દખલ કરશે, તેટલું જ સારુ રહેશે. આઝાદીના ઘણા વર્ષ પછી ખેડૂતો ના નામ પર કેટલીક જગ્યાએ સૂત્રોચ્ચાર થયા, પરંતુ તેમની નારેબાજી ખોખલી હતી.
आजादी के अनेक दशकों तक किसान और श्रमिक के नाम पर खूब नारे लगे, बड़े-बड़े घोषणा पत्र लिखे गए, लेकिन समय की कसौटी ने सिद्ध कर दिया है कि वो सारी बातें कितनी खोखली थीं, सिर्फ नारें थे। देश अब इन बातों को भली भांति जानता है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/46bxT4FwVS
પીએમ મોદી એ કહ્યું કે કૃષિ બિલથી નાના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થશે. પીએમ મોદી એ કહ્યું કે હવે ખેડૂતો પોતાની મરજી પ્રમાણે કોઇપણ જગ્યાએ પાક વેચી શકશે, જ્યાં પણ ખેડૂતો ને વધુ કિંમત મળશે તે ત્યાં વેચી શકશે.
ભાજપ ના કાર્યકર્તાઓએ ખેડૂતો ને સરળ ભાષામાં સમજાવાનું રહેશે. પીએમ મોદી એ કહ્યું કે જે લોકો ખેડૂતો ને ખોટું બોલ્યાં, તેઓ હવે ખેડૂતોના ખભા પર બંદૂક રાખી ચલાવી રહ્યાં છે. આ આ લોકો ખોટુ ફેલાવીને ખેડૂતો ને ભ્રમિત કરી રહ્યાં છે.
किसानों को ऐसे कानूनों में उलझाकर रखा गया, जिसके कारण वो अपनी ही उपज को, अपने मन मुताबिक बेच भी नहीं सकता था। नतीजा ये हुआ कि उपज बढ़ने के बावजूद किसानों की आमदनी उतनी नहीं बढ़ी। हां, उन पर कर्ज जरूर बढ़ता गया: प्रधानमंत्री pic.twitter.com/vGV1bDnaoq
કેટલાંક લોકોએ રાષ્ટ્રહિતના બદલે પોતાના હિતને સર્વોપરી રાખ્યું. ખેડૂતો ને કાયદામાં ઉલઝાવી રાખવામાં આવ્યાં, જેના કારણે તેઓ પોતાનો પાક ક્યાંય વેચી શકતા નહોતા. પીએમ મોદી એ કહ્યું કે અમને MSP માં રેકોર્ડ બ્રેક વધારો કર્યો.
વડા પ્રધાને કહ્યું, ' ભાજપ સરકારે જે કામ કર્યું છે, તે હવે ભાજપ ના દરેક કાર્યકરે ખેડૂતો સાથે બેસીને આ કાયદાઓ વિશે ખૂબ જ સરળ ભાષામાં વાત કરવી પડશે.' વડા પ્રધાને કહ્યું, 'યુપીએ સરકારના 5 વર્ષમાં ખેડૂત ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો ને 20 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. ભાજપ સરકારના 5 વર્ષના શાસનમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા દ્વારા આશરે 35 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે.
પંજાબ - હરિયાણામાં ખેડૂતો નું રેલ રોકો આંદોલન, ભારત બંધનું એલાન, અને ગુજરાતમાંથી પણ બંધને સમર્થન
પંજાબ, રાજસ્થાન ને હરિયાણા માં ખેડૂત કાયદાઓ વિરુદ્ધના પરદર્શનો તીવ્ર થયા હતા. પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલન કરાયું હતું, સાથે જ હરિયાણા અને પંજાબ માં ખેડૂતો એ ચક્કાજામ કરતાં તંત્ર દ્વારા તેમના પર વોટર કેનન નો મારો ચલાવાયો હતો. આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપાયું છે, જેને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પણ સમર્થન આપ્યું છે. આમ સંસદથી સડક અને હવે આ વિરોધ ભારત બંધ સુધી જઈ પહોંચ્યો છે.
ભાજપના નેતાઓએ જ કર્યો ખેડૂત કાયદાઓનો વિરોધ, કહયું, ભાજપમાં હોવા છતાં સત્ય માટે વાત કરીશ
કૃષિ બિલ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતો નું આંદોલન ચાલુ છે. દરમિયાન હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓએ પણ આ બિલને ખેડૂત વિરોધી ગણાવ્યું છે. ભાજપ ના નેતાઓ પરમિંદરસિંહ ધુલ અને રામપાલ માજરા કહે છે કે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ બિલ ખેડૂતો ના હિતમાં નથી, કારણ કે તેમાં MSP નો ઉલ્લેખ નથી. ભાજપ ના નેતાઓનું કહેવું છે કે, આ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોની સુનાવણી થવી જોઈએ.
અન્ય નેતા રામપાલ માજરાએ જણાવ્યું હતું કે, ખેડૂતો નું સાંભળવું જરૂરી છે, એવું ન બને કે કોઈ ગરીબ ખેડૂત મોટી કંપની સામે યુદ્ધ લડી રહ્યો હોય. માજરાએ કહ્યું હતું કે તેઓ ભાજપ માં હોવા છતાં તેઓ ચોક્કસપણે અધિકાર માટે અવાજ ઉઠાવશે.