દીકરીઓના લગ્નની યોગ્ય ઉંમર પર સરકાર જલ્દી જ મોટો નિર્ણય લઇ શકે છે. આ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીકરીઓને સંબોધિત કરી હતી.
શિક્ષણમાં દીકરીઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો દીકરા કરતા પણ વધારે : PM
દીકરીઓ મને પૂછે છે કે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે : નરેન્દ્ર મોદી
ખૂબ જલ્દી રિપોર્ટ આવતા જ સરકાર કાર્યવાહી કરશે : PM મોદી
શુક્રવારે પીએમ મોદીએ ખાદ્ય અને કૃષિ સંગઠનની 75મી વર્ષગાંઠના અવસર પર 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં દેશની દીકરીઓને સંબોધિત કરતા કહ્યું કે દીકરીઓનો ગ્રોસ એનરોલમેન્ટ હવે દીકરાઓ કરતા પણ વધી ગયું છે, ખૂબ જલ્દી રિપોર્ટ આવતા જ તેના પર સરકાર કાર્યવાહી કરશે.
Discussion is underway to decide the right age for marriage of our daughters. From across the country, daughters write to me asking why hasn't the concerned committee given its decision yet. I assure all daughters that as soon as the report comes, govt will act on it: PM Modi pic.twitter.com/5qna5V3lZQ
પીએમ મોદીએ આજે કહ્યું કે 'દેશમાં શિક્ષણમાં દીકરીઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો દીકરા કરતા પણ વધારે છે. દીકરીઓની લગ્નની ઉચિત ઉંમર શું હોય, તે નક્કી કરવા માટે જરૂરી ચર્ચા ચાલી રહી છે. મને દેશભરમાં જાગરૂક દીકરીઓ તરફથી પત્ર આવતા રહે છે કે વહેલામાં વહેલી તકે નિર્ણય કરવામાં આવે. તે પૂછતી રહે છે કે કમિટીનો નિર્ણય હજુ સુધી આવ્યો કેમ નહીં ? હું તે બધી દીકરીઓને આશ્વાસન આપું છું કે ખૂબ જલ્દી રિપોર્ટ આવતા જ તેના પર સરકાર કાર્યવાહી કરશે.'
શું છે ઉદ્દેશ ?
નોંધનીય છે કે મહિલાઓની લગ્ન કરવાની ન્યૂનતમ ઉંમરમાં ફેરફાર કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ માતૃ મૃત્યુદર ઘટાડવાનો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારને ઘટાડવા માટે બાળ વિવાહને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર કરવું પડશે. અને વિવાહ માટે ન્યૂનતમ ઉંમર વિશેનો નિર્ણય કોર્ટે સરકાર પર છોડ્યો હતો.
પહેલા પણ પીએમ મોદીએ આપ્યા હતા સંકેત
નોંધનીય છે કે લાલ કિલ્લા પરથી પણ પીએમ મોદીએ આ વિષય પર સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે દીકરીઓમાં કુપોષણ ખતમ થાય, તેમના લગ્ન માટે યોગ્ય આયુ હોય, તે માટે અમે કમિટી બનાવી છે. તે રિપોર્ટ આવતા જ દીકરીઓના વિવાહની ઉંમર પર ઉચિત નિર્ણય લેવામાં આવશે.