ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે. ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ભાજપમાં પ્રચારનો મોરચો વડાપ્રધાન મોદી અને અમિક શાહે સંભાળ્યો છે. આજે વડાપ્રધાન મોદીએ નવસારીમાં જમસભાને સંબોધી હતી.
નવસારીમા PM મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, નવસારી મારા માટે નવું નથી અને હું ય નવસારી માટે નવો નથી તેમણે કહ્યું કે, લગભગ 5-6 માસ પહેલા મેડિકલ કોલેજના શિલાન્યાસનો મને અવસર મળ્યો હતો અને એ પ્રગતિ, શિક્ષણ અને વિકાસનું પર્વ હતુ તેમણે કહ્યું કે, આજે હું લોકતંત્રના પર્વમાં આપના આશિર્વાદ માટે આવ્યો છું તેમણે કહ્યું કે, આ ચૂંટણી અમે નથી લડતા, ગુજરાતની જનતા લડી રહી છે તેમણે જણાવ્યું કે, આખીય ચૂંટણીનો વિજય ધ્વજ ગુજરાતની જનતાએ માથે ઉપાડ્યો છે તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપને સરકાર બનાવવાનો ચુકાદો જાહેર કરી દીધો છે અને ફર્સ્ટ ટાઈમ વોટર છે એમનો તો જુસ્સો જ અલગ છે તેમણે કહ્યું કે, પહેલી વખત મત આપનારાઓનો જુસ્સો અહી દેખાય છે તેમણે કહ્યું કે, જુના મતદાતાઓની જવાબદારી થોડી વધી જતી હોય છે.
સેવા કરવાનો ઉત્સાહ તમારાથી મળી રહે છે : PM
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને સેવા કરવાનો ઉત્સાહ તમારાથી મળી રહે છે અને તેમણે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાત જુના બધા રેકોર્ડ તોડશે અને લોકસભાની ચૂંટણી હતી ત્યારે રેકોર્ડ તોડીને સી આર પાટીલને વિજય અપાવ્યો હતો તેમણે કહ્યું કે, લોકતંત્રનો જય જયકાર ચાલવો જોઈએ અને આ વખતે ગુજરાત રેકોર્ડ બ્રેક મતદાન કરશે તેમણે કહ્યું કે, ચૂંટણીપંચ વધુમાં વધુ મતદાન માટે જહેમત ઉઠાવે છે અને મત અવશ્ય આપવો જોઈએ તેમણે જણાવ્યું કે, બુથમાં જુના બધા રેકોર્ડ તૂટે એટલુ મતદાન કરાવો અને વધુમાં વધુ પોલીંગ બુથ અને વધુમાં વધુ કમળ ખીલવો.
આદિવાસી ભાઇઓના કલ્યાણ માટે મહાયજ્ઞ આદર્યો છે:PM
PM મોદી વધુમાં જણાવ્યું કે, આદિવાસી ભાઇઓના કલ્યાણ માટે મહાયજ્ઞ આદર્યો છે. ગુજરાતની પ્રગતીમાં આદિવાસી દિકરા-દિકરીઓ ભાગીદાર બને તે માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. કોંગ્રેસ વાળાને તો આ દેશમાં આદિવાસી ભાઇ-બહેન રહે છે તેની ખબર જ ન હતી. PM મોદીએ જનતાને સવાલ કરતા પુછયુ કે, ભગવાન રામના જમાનામાં આદિવાસીઓ હતા કે નહી, કૃષ્ણના જમાનામાં આદિવાસીઓ હતા કે નોહતા, આમારા આદિવાસીઓએ આ દેશની સંસ્કૃતિ માટે જીવન ખપાવ્યું પણ આ કોંગ્રેસ વાળાને ખબર જ નોહતી કે આદિવાસીઓ હોય છે. આદિવાસીઓ માટે અલગ મંત્રાલય હતું જ નહી અને અટલજીની સરકારે પહેલી વાર આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવ્યું. તેમણે કહ્યું કે, મને કોઇ આદિવાસીનું જેકેટ કે પાઘડી પહેરાવે તો આ કોંગ્રેસ વાળા મજાક કરતા હતા, કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે આદિવાસીઓનું અપમાન કરતા હતા તેમની પાસે આદિવીસ સમાજની કલ્પના વિચારી જ ન શકાય કોંગ્રેસે આદિવાસીઓને તેમના ભરોસે મુકી દીધા.