પીએમ મોદીના ભાષણથી પ્રભાવિત થઈને કરી હતી કિડની ડોનેટ
પીએમ મોદીના અંગદાન તે જ મહાદાનના આહ્વાનને માન આપીને પોતાની કિડની એક વ્યક્તિને ડોનેટ કરીને તેને નવું જીવન આપનાર કોલકાતાની 48 વર્ષીય મહિલા માનસી હલદરની ખુશીની ત્યારે સીમા ન રહી જ્યારે વડા પ્રધાને જાતે તેમના કાર્યની પ્રશંસા કરી હતી, અને તેને એક પત્ર પણ લખ્યો હતો.
પીએમ મોદીએ લખ્યો પત્ર
માનસી હલદરને મોકલેલા એક પ્રશંસા પત્રમાં વડા પ્રધાને કહ્યું કે તેમની નિ: સ્વાર્થ સેવાની પ્રશંસા જેટલી કરવામાં આવે તેટલી ઓછી છે.
માનસી હલદરે વડા પ્રધાન મોદીનું એક ભાષણ સાંભળ્યું હતું, જેમાં તેમણે અંગદાનને મહાદાન ગણાવ્યું હતું. તેનાથી પ્રભાવિત થઈને, તેણે 2014 માં તેણે તેની એક કિડની કોઈ એક એવા વ્યક્તિને ડોનેટ કરી જેને તેની જરૂર હતી, થોડા મહિના પહેલા હલદારે વડાપ્રધાન મોદીને આ ઘટના અંગે પત્ર લખીને જાણ કરી હતી, જેના પછી તેમને પીએમ મોદી તરફથી એક જવાબી પત્ર પણ મળ્યો હતો.
પત્રમાં વડા પ્રધાને લખ્યું છે કે, "આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ કે તમે એક મહત્વપૂર્ણ જીવન બચાવવા માટે તમારી કિડની દાનમાં આપી છે." આ નિ:સ્વાર્થભાવ ની પ્રશંસા જેટલી થાય તેટલી ઓછી છે. ત્યાગ અને સેવાની ભાવના આપણી સંસ્કૃતિ અને પરંપરાના કેન્દ્રમાં રહી છે.
અંગદાન એ મહાદાન છે, તેને જનઆંદોલન બનાવવાની જરૂરત : પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે અંગદાન એક મહાદાન છે કારણ કે તેને મેળવનાર વ્યક્તિ તેનાથી નવું જીવન મેળવે છે. તેમણે કહ્યું કે તેમના દેશમાં લાખો લોકો છે જેમની આવી જરૂર છે અને આનાથી મોટું દાન બીજું કશું હોઇ શકે નહીં. પીએમ મોદીએ લખ્યું કે, તમારી સેવા ખૂબ પ્રેરણાદાયી છે. આનાથી ઘણા લોકો પ્રભાવિત થશે અને આ અંગ દાન જેવા માનવ પ્રયત્નોને વેગ આપશે. ''
વડા પ્રધાને આ દિશામાં વધુ જાગૃતિ ફેલાવવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે અંગદાનના દાનને એક જન આંદોલન બનાવીને અનેક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય છે. હલદરે કહ્યું કે તેનું પોતાનું સ્વાસ્થ્ય સારું છે, જે વ્યક્તિએ તેણે કિડની દાન કરી તે પણ તંદુરસ્ત છે.