દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ પ્રકારની જુદી જુદી પાઘડીમાં જોવા મળતા હોય છે. તે જ રીતે આ વખતે પણ નરેન્દ્ર મોદી જામનગરની ખાસ પાઘડીમાં જોવા મળ્યા. જાણો પાઘડીની શું છે ખાસિયત.
વડાપ્રધાન મોદીએ પહેરી ખાસ પાઘડી
જામનગરી પાઘડીમાં PM મોદી શોભી ઉઠ્યા
શું ખાસિયત છે આ જામનગરી પાઘડીમાં?
26 જાન્યુઆરી 2021ના રોજ વડાપ્રધાન મોદીએ એક ખાસ પ્રકારની પાઘડી ધારણ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતભરમાં દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી પુરા જોશ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે ત્યારે દર વર્ષે નરેન્દ્ર મોદી આ ઉજવણીમાં ખાસ પ્રકારની જુદી જુદી પાઘડી પહેરવાનો આગ્રહ રાખતા હોય છે. તે જ પ્રમાણે આ વર્ષના 72માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં પણ નરેન્દ્ર મોદીએ તેમની આ ખાસ પ્રકારની પાઘડી પહેરવાની પરમ્પરાને જાળવી રાખી હતી અને તે માટે જ તેમણે એક ખાસ પ્રકારની પાઘડીની પસંદગી કરી છે. ANI ન્યુઝ એજેંસીના એક રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદી આ વખતે પણ એક ખાસ પ્રકારની પાઘડીમાં જોવા મળ્યા છે. તેમના અનુસાર આ પાઘડી જામનગરની છે અને જામનગરના એક શાહી પરિવાર તરફથી વડાપ્રધાનને ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. આ સાથે જ નરેન્દ્ર મોદી પારંપરિક કુર્તો, પાયજામો અને જેકેટ પહેરીને ખભા પર શાલ ધારણ કરેલા જોવા મળ્યા છે.
શું કર્યું આ પાઘડી પહેરીને
વડાપ્રધાને આ પાઘડી પહેરીને ઇન્ડિયા ગેટ સ્થિત વૉર મેમોરિયલ જઈને વીરગતિ પામેલા ભારત દેશના બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમ્યાન તેમની સાથે ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહયાં હતા.
પાઘડી પહેરવાની નરેન્દ્ર મોદીની રહી છે ખાસ પરંપરા
2015 થી લઈને આજદિન સુધી દરેક વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં નરેન્દ્ર મોદી કપડાંની પસંગીની બાબતમાં પોતાની એક ખાસ ઓળખ ઉભી કરતા હોય છે જેથી ગણતંત્ર દિવસની ઉજવણીમાં તેઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. આવો તેમની દર વર્ષની પાઘડીની ખાસ પસંદગીને માણીએ.
2020માં ધારણ કરી હતી બાંધણીની પાઘડી
71માં ગણતંત્ર દિવસના અવસર પર નરેન્દ્ર મોદીએ બાંધણીની ખાસ પસંદગી કરી હતી જેમાં કેસરીની સાથે પીળો કલર પણ સમાવિષ્ટ હતો. કેસરિયા કલરની આ પાઘડીનો એક છેડો કમર સુધી લહેરાતો હતો જે આકર્ષક હતું.
2019 માં પાઘડી માટે પસંદ કર્યો પીળો કલર
70માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં નરેન્દ્ર મોદીએ પીળા કલરની પાઘડી પહેરવાનું પસંદ કર્યું હતું. આ પાઘડીની ખાસ વાત એ હતી કે તેમાં લીલા રંગની સાથે સોનેરી કલરની લાઈનો દોરેલી હતી. તો સાથે સ્લીવલેસ બંધ ગળાનું જેકેટ અને સફેદ કલરનો કુર્તો પહેર્યો હતો.
2018 માં આવો હતો ખાસ દેખાવ
2018ના વર્ષમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં તેમણે અનેક રંગોની મેળવણીવાળી પાઘડી પહેરી હતી. તેમનું પોકેટ સ્ક્વાયર પણ સતરંગી હતું. તે વર્ષે નરેન્દ્ર મોદીએ ક્રીમ કલરના કુર્તાની સાથે કાળા કલરના બંધ ગળાનું જેકેટ પહેર્યું હતું.
2017 માં પહેરી હતી ગુલાબી પાઘડી.
2017 માં વડાપ્રધાન મોદીએ ગુલાબી રંગની પાઘડીની પસંદગી કરી હતી.જેમાં એક બોર્ડર હતી અને તેની સાથે સિલ્વર કલરની છાપણી હતી. તેની સાથે સફેદ ટપકાંવાળો કાળા કલરનો સ્લીવલેસ જેકેટ પહેર્યો હતો.