પોતાના ડાબા હાથના અંગૂઠામાં ફેક્ચરના કારણે ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ મિશનથી બહાર થયેલા શિખર ધવનને પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને તેમની હિમ્મત વધારી છે.
પોતાના આ ટ્વીટમાં પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે તેઓ જલ્દી ઠીક થઇને મેદાન પર પરત ફરશે અને દેશની જીતમાં એક વખત ફરીથી મહત્વની ભૂમિકા નિભાવશે.
બુધવારે ટૂર્નામેન્ટથી બહાર થયા બાદ શિખર ધવને આ સમાચાર પર નિરાશા વ્યક્ત કરતા ફેન્સ માટે એક ભાવુક વીડિયો ટ્વીટ કર્યો હતો. ગુરૂવારે ધવનના આ ટ્વીટ પર પીએમ નરેન્દ્ર મોદીએ તેમની હિમ્મત વધે તેવું આ ટ્વીટ કર્યું છે.
પીએમ મોદીએ લખ્યું કે, પ્રિય શિખન, આ વાતમાં કોઇ શંકા નથી કે તમારી રમતને પિચ પણ મિસ કરશે પરંતુ હું તમારા જલ્દી ઠીક થવાની આશા રાખું છું, જેનાથી તમે જલ્દી ઠીક થઇને મેદાન પર પરત ફરો અને એક વાર ફરી દેશની જીતમાં વધુમાં વધુ યોગદાન આપો.
Dear @SDhawan25, no doubt the pitch will miss you but I hope you recover at the earliest so that you can once again be back on the field and contribute to more wins for the nation. https://t.co/SNFccgeXAo
ઇજાના કારણે વર્લ્ડ કપથી બહાર થયા બાદ શિખર ધવને ટ્વિટર પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ ભાવુક થતા દેખાઇ રહ્યા હતા અને ટૂર્નામેન્ટથી બહાર થવા પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.
I feel emotional to announce that I will no longer be a part of #CWC19. Unfortunately, the thumb won’t recover on time. But the show must go on.. I'm grateful for all the love & support from my team mates, cricket lovers & our entire nation. Jai Hind!🙏 🇮🇳 pic.twitter.com/zx8Ihm3051
આ પહેલા બુધવારે ધવનના ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના સમાચાર આવ્યા હતા. જોકે ટીમ ઇન્ડિયાએ તેમના કવર તરીકે યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને પહેલા જ ઇંગ્લેન્ડ બોલાવી લીધા હતા અને શિખરના બહાર થયા બાદ તેમને ટીમમાં સામેલ કરી લેવાયા છે.