આજે રેડિયો દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રેડિયો દિવસની શુભકામનાઓ આપી છે.
આજે વિશ્વ રેડીયો દિવસ
વડાપ્રધાન મોદીએ આપી શુભકામનાઓ
સમાજ સાથે જોડવાનું માધ્યમ રેડિયો
Happy World Radio Day! Greetings to all radio listeners and kudos to all those who keep the radio buzzing with innovative content and music. This is a fantastic medium, which deepens social connect. I personally experience the positive impact of radio thanks to #MannKiBaat.
પીએમ મોદીએ કહ્યું કે રેડિયો સામાજીક જોડાણ માટેનું એક શાનદાર માધ્યમ છે. તેમણે એક ટ્વિટ કર્યુ અને તેમના દર મહિને પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમનો પોઝીટીવ અસર મહેસુસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, વિશ્વ રેડિયો દિવસની સૌને શુભકામનાઓ. રેડિયોના દરેક શ્રોતાઓને શુભકામના. રેડિયોને નવીન વુષય વસ્તુ અને સંગીત પીરસનાર લોકો પ્રશંસાને પાત્ર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સામાજીક જોડામને ઉંડુ કરવાનો એક શાનદાર માધ્યમ છે. મન કી બાતના કારણે રેડિયોનો પોઝીટીવ અસર પોતે અનુભવી છે. દુનિયાભરમાં 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.
14 ઓક્ટોબર 2014થી ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિનાના અંતિમ રવિવારે તે મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરતા રહે છે.
ભારતમાં આકાશવાણીનો સફર
મહત્વનું છે કે, આપણા દેશમાં મુંબઇ અને કોલકાતામં 1927માં રેડીયો પ્રસારણની શરૂઆત થઇ હતી, શરૂઆતમાં મુંબઇના રેડિયો ક્લબ તરફથી 1923માં પહેલા કાર્યક્રમને પ્રસારિત કરવામાં આવ્યો હતો. મુંબઇ અને કોલકાતાના પ્રાઇવેટ ટ્રાંસમીટરોને 1930માં સરકારે પોતાના નિયંત્રણમાં લીધુ અને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોરપોરેન રાખ્યું હતું. 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો પડ્યું અને 1957થી અત્યાર સુધી પ્રચલિત આકાશવાણી નામ આપવામાં આવ્યું હતું.