આગામી તા. 17 એપ્રિલનાં રોજ વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ "સૌરાષ્ટ્ર તમિલ સંગમ "નો પણ પ્રારંભ કરાવશે. તેમજ સોમનાથ મંદિરે પૂજા અર્ચના પણ કરશે.
PM મોદી આવશે ગુજરાત
17 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે
સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો કરાવશે પ્રારંભ
2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બે દિવસની કેન્દ્રીય ગૃહ મંત્રી પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. અને પ્રશિક્ષણ શિબિરમાં હાજરી પણ આપી હતી. ત્યારે હવે આગામી સમયમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
સોમનાથમાં રોડ-શૉ પણ કરી શકે PM મોદી
આગામી તા.17 એપ્રિલનાં રોજ વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ સૌ પ્રથમ તો સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાનાં દર્શન કરશે. તેમજ ત્યાર બાદ સોમનાથમાં રોડ-શો કરે તેવી પણ સંભાવના છે. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 23, 2023
સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો પ્રારંભ કરાવશે PM મોદી
આગામી તા.17 થી 26 દરમ્યાન કેન્દ્ર અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે "સૌરાષ્ટ્ર તમિલ સંગમ " કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન "સૌરાષ્ટ્ર તમિલ સંગમ " કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડું રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવશે. અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને દેશો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.