પ્રધાનમંત્રી મોદી આજે અયોધ્યાની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી મોદી આયોધ્યા પહેલા ફૈઝાબાદની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખતે અયોધ્યાની મુલાકાત લેશે.
ત્યારે તેઓ અયોધ્યામાં કામચલાઉ રામ મંદિરમાં આરતી ઉતારી શકે છે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં ચૂંટણી સભાને પણ સંબોધવાના છે ત્યારે રામ મંદિરના મુદ્દાને લઈને શું કહે છે તે ચર્ચાનો વિષય છે.
તમને જણાવી દઇએ કે ફૈઝાબાદ લોકસભા સીટ પર પાંચમાં ચરણ અંતર્ગત 6મેંનાં રોજ મતદાન યોજાવાનું છે. પ્રધાનમંત્રી મોદી આંબેડકરનગર અને અયોધ્યાની વચ્ચે ગોસાઇગંજનાં મયા બઝાર વિસ્તારમાં 1 મે નાં રોજ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે પીએમ મોદીનો અયોધ્યાનાં મંદિરોમાં દર્શન-પૂજાનો કાર્યક્રમ છે કે નહીં.
અયોધ્યા મુલાકાતનો ઉદ્દેશ્યઃ
પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનાં અનેક કારણો નિકાળવામાં આવી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીનાં પાંચમા ચરણનાં વોટિંગનાં પહેલી પીએમની મુલાકાત દરમ્યાન બીજેપીને આસપાસની સીટોં પર ફાયદો મળી શકે છે. આ સાથે જ આને 6મેંનાં મતદાન પહેલાં માહોલ પોતાનાં પક્ષમાં કરવાનાં રૂપમાં જોવામાં આવી રહેલ છે.
6મેંનાં રોજ ફૈઝાબાદ સીટ સિવાય ધૌરહરા, સીતાપુર, મોહનલાલગંજ, લખનઉ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, બહરાઇચ, કૈસરગંજ લોકસભા સીટોં પર પણ મતદાન છે. એવામાં એસપી-બીએસપી-આરએલડી ગઠબંધનનાં પડકારથી ઝઝુમી રહેલ બીજેપીને આ રેલીથી ઘણી આશાઓ છે.