PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, આગામી મહિનાના બીજા સપ્તાહમાં પણ PM મોદીની ફરી ગુજરાત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે.
PM નરેન્દ્ર મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત
ઓક્ટોબરમાં PM મોદીનો મહેસાણામાં થઈ શકે છે કાર્યક્રમ
ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં PM આવી શકે છે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કેન્દ્રિય નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. આજથી 2 દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આવનાર મહિનાના ગુજરાતમાં કાર્યક્રમોની પણ ગોઠવણ થઈ ગઈ છે.
મહેસાણામાં PM મોદીના મોટા કાર્યક્રમનું આયોજનની તૈયારી
PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી શકે છે. ઓક્ટોબરમાં PM મોદીનો મહેસાણામાં મોટો કાર્યક્રમ થઈ શકે છે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બહુચરાજી આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે બહુચરાજી મંદિરનો 200 કરોડનો વિકાસ પ્લાન લોકાર્પણ થઈ શકે છે. દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટ,બહુચરાજી નવીન રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણનો કાર્યક્રમ યોજાઇ શકે છે. મોઢેરા સોલર પ્લાન્ટના પણ ઉદ્ધાટનનું આયોજન છે. સમગ્ર કાર્યક્રમને લઈ PM નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભા માટે જગ્યા શોધવા તંત્ર કામે લાગી ગયું છે.
રાજકોટમાં 19 ઓક્ટોબરે જાહેરસભા
તો બીજી તરફ ગુજરાતના અન્ય એક પ્રવાસમાં પ્રધાનમંત્રી રાજકોટમાં 19 ઓક્ટોબરે જાહેરસભાને સંબોધન કરી સૌરાષ્ટ્રમાં ભાજપની પકડને મજબૂત કરશે. તેની સાથે જ 5 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે. PMના કાર્યક્રમની આધાકારીક જાહેરાત તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.
5200 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનો ભાવનગરમાં શિલાન્યાસ
PM મોદીએ સુરતની જનતાને કરોડોના વિકાસકાર્યોની ભેટ અર્પણ કર્યા બાદ હવે તેઓ ભાવનગરના આંગણે છે. અહીં તેઓએ 5200 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ભાવનગરમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, 'ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.'
સુરતમાં 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોની ભેટ
PM મોદી દિવાળી પહેલા ગુજરાતને ફરીવાર કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે આજે સુરતમાં 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો PM મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું. PM મોદીએ સુરતથી સંબોધન કરતા જણાવ્યું કે, 'છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા છે, તેમના જીવનધોરણમાં સુધારો કર્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી છે. જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને 1.25 લાખ સુરતના છે.'
PM મોદીનો આવતીકાલ શુક્રવારનો શું છે કાર્યક્રમ?
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી