કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાથી પેન્ડીંગ ડીએ એરિયરના મુદ્દે કેન્દ્ર સરકારે ચાલુ મહિનામાં બેઠક કરે તેવી સંભાવના છે.
કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબર
18 મહિનાનું DAએરિયર્સ મળે તો,
ખાતામાં રુ.2 લાખ થઇ શકે છે જમા
કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કર્મચારીઓમાં ખુશી છે, પરંતુ તેમ છતાં એક મોરચે તેઓ નિરાશ છે. કર્મચારીઓના 18 મહિનાના એરિયર્સ અંગેની અપેક્ષાઓ હજુ સુધી પૂર્ણ થઈ નથી. પરંતુ આશા છે કે આ મહિને આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. ત્યારે જાણીએ કે 18 મહિનાના DAએરિયર્સ પર મંજૂરી મળ્યા બાદ કર્મચારીઓના ખાતામાં કેટલા પૈસા આવશે.
શું છે માંગ ?
7માં પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા DA ઉપરાંત ઘણા મોટા લાભો આપ્યા છે. પરંતુ DAએરિયર્સનો કેસ 18 મહિનાથી પેન્ડિંગ છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM)ના સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, કાઉન્સિલે સરકાર સમક્ષ માંગણી મૂકી છે કે DA પુનઃસ્થાપિત કરતી વખતે 18 મહિનાથી પેન્ડિંગ DAની બાકી રકમનું વન ટાઈમ સેટલમેન્ટ કરવામાં આવે.
સરકાર સાથે ચાલી રહી છે વાતચીત
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ અને નાણા મંત્રી વચ્ચે બાકી રકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, કોઈ નક્કર જવાબ મળ્યો ન હતો. જો કે કર્મચારીઓ તો હજુ પણ પોતાની માંગ પર અડગ છે . સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં આ અંગે કેબિનેટ સચિવ સાથે ચર્ચા થઈ શકે છે. ખર્ચ વિભાગના વાર્ષિક અહેવાલ મુજબ દેશમાં કુલ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 60 લાખ પેન્શનરો છે.
2 લાખથી પણ વધુ મળશે એરિયર્સ
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, લેવલ-1ના કર્મચારીઓનું DAએરિયર્સ રુ.11,880 થી રુ. 37,554 સુધીનું થાય છે. જ્યારે, લેવલ-13 (7મું CPC બેઝિક પે સ્કેલ રુ.1,23,100 થી રુ. 2,15,900) અથવા લેવલ-14 (પે સ્કેલ) માટે જો ગણતરી કરવામાં આવે તો કર્મચારીના હાથમાં DA એરિયર્સના રુ.1,44,200. થી રુ 2,18,200 ચૂકવવા પડે.ખરી રીતે જોવામાં આવે તો લેવલ 1ના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રુ.11,880 થી રુ. 37,554 સુધીનું થાય છે. જ્યારેલેવલ 13ના કર્મચારીઓને બેઝિક પે રુ.1,23,100 થી રુ.2,15,900ની વચ્ચે છે. તો લેવલ 14 ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના બાકીના રૂપે તેમના ખાતામાં 1,44,200 થી 2,18,200 રૂપિયા જમા થઈ શકે છે.
એરિયર્સ અંગે પીએમ મોદી લેશે નિર્ણય
ઉલ્લેખનીય છે કે, 18 મહિનાના એરિયર્સનો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે, હવે પીએમ મોદી એરિયર્સ અંગે નિર્ણય લેશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓની એરિયર્સ અંગેની આશા ફરી એકવાર જાગી છે. જો પીએમ મોદી 18 મહિનાના એરિયર્સને લીલી ઝંડી આપે છે તો તમને જણાવી દઈએ કે લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મોટી રકમ આવશે.હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 31 ટકા થઈ ગયું છે. 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનધારકોને તેનો લાભ મળી રહ્યો છે.