PM કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સન્માન નિધિનો 11મો હપ્તો જાહેર કરશે.
PM કિસાન યોજનાને લઈને સૌથી મોટી અપડેટ!
જાણો કઈ તારીખે ખાતામાં આવશે પૈસા
પ્રધાનમંત્રી મોદી પોતે કરશે પૈસા ટ્રાન્સફર
દેશના જરૂરિયાતમંદ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે, અને આર્થિક લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જે સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.
આ યોજનામાં ખેડૂતોને મળે છે પૈસા
આ નાણાં ખેડૂતોને રૂ.2-2 હજારના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી આ યોજનાના 10 હપ્તા આપવામાં આવ્યા છે લોકો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોના બેંક ખાતામાં 11મા હપ્તાના પૈસા ક્યારે આવશે તે દરેક જાણવા માંગે છે. જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો ચાલો તમને જણાવીએ કે તમને 11મો હપ્તો ક્યારે મળી શકે છે.
પીએમ મોદી પોતે રિલીઝ કરશે પૈસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 11મો હપ્તો જાહેર કરશે. આ દિવસે શિમલામાં મોદી સરકારનો ભવ્ય કાર્યક્રમ છે. જ્યાં પીએમ મોદી ઘણી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો પણ જાહેર કરશે.
ક્યારે કરશે જાહેર?
પીએમ કિસાન યોજના અંતર્ગત આવનાર 11મો હપ્તો 31 મે 2022ના રોજ બહાર પાડવામાં આવશે. શિમલાના રિજ મેદાનમાં કાર્યક્રમ દરમિયાન જ આ પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે.
જરૂર કરાવી લો ઇ-કેવાયસી
જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 11મો હપ્તો અટકી શકે છે.
આ રીતે કરાવી શકો છો ઈ-કેવાઈસી
જો તમે અત્યાર સુધી પીએમ કિસાન યોજના હેઠળ ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તમે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને તે કરાવી શકો છો.
આ સિવાય, જો તમે ઇચ્છો, તો તમે તમારું ઇ-કેવાયસી જાતે પણ કરી શકો છો. આ માટે તમારે ઓફિશ્યલ વેબસાઈટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવી પડશે અહી સિમ્પલ સ્ટેપ્સ દ્વારા તમે ઈ-કેવાયસી કરાવી શકો છો.