રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવામાં PM મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે UN ચીફે કહ્યું કે, 'હું આ મામલે ભારત સહિત ઘણા દેશો સાથેના સંપર્કમાં છું.'
યુદ્ધને ખતમ કરવામાં PM મોદી ભજવી શકે છે મહત્વની ભૂમિકા
ભારત સહિત અનેક દેશો સાથેના હું સંપર્કમાં : એન્ટોનિયો ગુટેરેસ
મને આશા છે કે આ તમામ દેશો મારા પ્રયત્નોનું સમર્થન કરશે : ગુટેરેસ
રશિયા-યુક્રેન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, તેઓ યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થતાના પ્રયાસો પર ભારત સહિત ઘણા દેશો સાથેના સંપર્કમાં છું. તમને જણાવી દઈએ કે ભારત સતત વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન શોધવાની વકાલત કરી રહ્યું છે.
આ દેશોના નામ પણ લીધા
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું કે, તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં મધ્યસ્થીનાં પ્રયાસોને લઇને ભારત, તુર્કી, ચીન અને ઇઝરાયેલ સહિત અન્ય દેશો સાથેનાં સંપર્કમાં જ છે. પત્રકારો સાથે વાત કરતા ગુટેરેસે કહ્યું કે, "હું ઘણાં દેશો સાથે નજીકના સંપર્કમાં છું કે જેઓ રાજકીય ઉકેલ માટે મધ્યસ્થતાના વિવિધ માર્ગો શોધવા માટે બંને પક્ષો સાથે વાતચીત કરી રહ્યાં છે."
ગુટેરેસે આ આશા વ્યક્ત કરી
UN ચીફે કહ્યું કે, હું મારા તુર્કીનાં મિત્રો સાથે ખૂબ જ નજીકથી સંપર્કમાં રહ્યો છું. એ જ રીતે ભારતની સાથે જ કતાર, ઈઝરાયેલ, ચીન અને ફ્રાન્સ તથા જર્મનીની સાથે પણ સંપર્કમાં છું. મને વિશ્વાસ છે કે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે પરિસ્થિતિઓના નિર્માણ કરવા માટે આ તમામ પ્રયત્નો જરૂરી છે. એવું પૂછવામાં આવ્યું કે શું આ તમામ દેશ તેમના પ્રયત્નોનું સમર્થન કરી રહ્યાં છે તો તેઓએ કહ્યું કે, મને એવી આશા છે.
ભારત આ વલણ પર છે મક્કમ
ભારત આ મામલે અત્યાર સુધી ખૂબ જ તટસ્થ પ્રતિક્રિયા આપતું આવ્યું છે. જેનું કારણ છે રશિયા સાથેના તેના જૂના સંબંધ. ભારતે આ મુદ્દા વિશે સંયુક્ત રાષ્ટ્રમાં થયેલા મતદાનમાં પણ ભાગ ન હતો લીધો. જો કે ભારત શાંતિના રસ્તે સમાધાન નીકાળવાની વાત પર ભાર મૂકી રહ્યું છે. નોંધનીય છે કે, બંને પક્ષો વચ્ચે આજે તુર્કીમાં વધુ એક બેઠક યોજાવાની છે. જેમાં શાંતિ સ્થાપવા મુદ્દે વાતચીત થશે.