આગામી 16 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાતમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવા આવવાના હતા. પરંતુ હવે તેઓ ગુજરાત નહી આવે અને વિકાસના કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.
વિકાસના કામોનું લોકાર્પણ વર્ચ્યુઅલ કરશે
સવારે 11 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક
ત્રીજી લહેરને લઈને વડાપ્રધાને લોકોને ચેતવણી આપી
ગુજરાતમાં આગામી 16 તારીખે વડાપ્રધાન મોદી નથી આવવાના. પહેલા એવી માહિતી સામે હતી કે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવીને વિકાસના કામોનું લોકાર્પણ કરશે. પરંતુ હવે તેઓ વર્ચ્યુંઅલ લોકાર્પણ કરશે તેવી માહિતી સામે આવી છે.
સાંજે 4 વાગ્યે વર્ચ્યુઅલ લોકાર્પણ
16 તારીખે સાંજે 4 વાગ્યાના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે 5 સ્ટાર હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે. આ લોકાર્પણ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાવાના છે. સાથેજ આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, તેમજ રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ જોડાવાના છે.
દેશમાં કોરોનાના કેસ ઘટ્યા પરંતું હજું ખતરો ટળ્યો નથી. જેથી વડાપ્રધાન મોદી આગામી 16 તારીખે તામિલનાડું, આંધ્રપ્રદેશ, કર્ણાટક , ઓડિસા, મહારાષ્ટ્ર અને કેરળના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કરવાના છે જે બેઠક સવારના 11 વાગ્યે શરૂ થશે.
પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક
આજે પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે તેમણે વર્ચ્યુંઅલ બેઠક કરી. જેમા તેમણે કહ્યું કે, જે રાજ્યોમાં કોરોનાનું પ્રમાણ ઓછું છે, ત્યા પણ ધ્યાન રાખવાની જરૂર છે. ઉપરાંત જ્યા કેસ વધી રહ્યા છે ત્યા વધારે સતર્કતા રાખવાની જરૂર છે તેવું પણ તેમણે કહ્યું હતું. વધુંમાં તેમણે એવું કહ્યું કે કન્ટેન્ટમેટ નીતિ પર જોર આપીને કોઈ પણ પ્રકારનું એકશન લેવામાં આવશે.
ત્રીજી લહેરને લઈને PM મોદીની ચેતવણી
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું કે લોકો એવું માની રહ્યા છે, કે ત્રીજી લહેર પહેલા થોડી ફરી લઈએ. પરંતું ત્રીજી લહેર સામેથી નહી આવે તેને લાવવામાં આવશે તેવું તેમણે કહ્યું. વધુંમાં તેમણે કહ્યું કે વેક્સિનેશનને લઈને દરેકને જાગૃત કરવા પડશે. સાથેજ કોરોનાના દરેક વેરિએન્ટ પર નજર રાખવા પણ તેમણે વિનંતી કરી છે.