આજે ગાંધી જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી એક મોબાઈલ એપ લોન્ચ કરવાના છે જે આપણાં રોજિંદા જીવનમાં જળ સંકટ પર મોટી અસર કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જલ જીવન મિશનની મોબાઈલ એપ અને રાષ્ટ્રીય જલ જીવન કોશ લોન્ચ કરશે. આ દરમિયાન, ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે તેઓ વર્ચ્યુઅલ રીતે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ વોટર લાઇફ ફંડ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરો, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો પર પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે અને નળ લગાવવામાં આવશે. કોઈપણ વ્યક્તિ, સંસ્થા, કંપની અને એનજીઓ આ ફંડમાં દાન આપી શકે છે.
At 11 AM tomorrow, 2nd October, I would be taking part in an interesting programme relating to Jal Shakti and rural empowerment. I would interact with Gram Panchayats and Pani Samitis. Jal Jeevan Mission App and Rashtriya Jal Jeevan Kosh would be launched. https://t.co/N01N4wlFZV
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે 2 ઓક્ટોબરે 11 વાગ્યે તેઓ જળ શક્તિ અને ગ્રામ વિકાસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન, તેઓ ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે વાતચીત કરીને તેમને જાગરૂક કરશે અને આ મિશનના ફાયદા જણાવશે. આ સાથે જલ જીવન મિશન એપ અને રાષ્ટ્રીય જલ જીવન કોશ પણ શરૂ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2019 માં જલ જીવન મિશનની જાહેરાત કરી હતી. આ મિશનનો ઉદ્દેશ દરેક ઘરમાં પાણી પુરવઠો પૂરો પાડવાનો છે. અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 17 ટકા લોકો પાસે જ પાણીનો પુરવઠો છે.