ગાંધીનગરથી ઓડિયો અને વીડિયો મારફતે PM મોદી સ્ટ્રીટ વેન્ડર સાથે સંવાદ કરશે જેમાં અમદાવાદ સહિત 4 મહાનગરો જોડાશે
સ્ટ્રીટ વેન્ડર સાથે PM કરશે સંવાદ
ગાંધીનગરથી કરશે PM સંવાદ
સંવાદમાં 4 મહાનગરો જોડાશે
વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે દર મહિને PM મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 28 અને 29 જુલાઈના રોજ PM મોદી ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. હિંમતનગરમાં આવેલી સાબર ડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની મુલાકાત કરશે.
સ્ટ્રીટ વેન્ડર સાથે PMનો સંવાદ
આ સાથે PM નરેન્દ્ર મોદીનો શહેરના લારી-ગલ્લા ધારકો સાથે સંવાદ કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે. 29 જુલાઇએ રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓના લાભાર્થી સ્ટ્રીટ વેન્ડર સાથે ચર્ચા કરશે. જેમાં PM મોદી ગાંધીનગરથી ઓડિયો અને વીડિયો મારફતે જોડાશે. અને સંવાદમાં અમદાવાદ સહિત 4 મહાનગરોના સ્ટ્રીટ વેન્ડર જોડાશે. આપને જણાવી દઈએ કે શહેરમાં અત્યાર સુધી 33 હજાર જેટલા સ્ટ્રીટ વેન્ડર AMCના ચોપડે નોંધાયા છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્ટ્રીટ વેન્ડરને એકત્ર કરાશે.
સાબરકાંઠામાં PM મોદીનો કાર્યક્રમ
હિંમતનગર સ્થિત સાયબર ડેરીમાં અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ (Inauguration of Sabar Dairy Project) કરશે. અમદાવાદ સિવિલમાં નવું કેમ્પસ બન્યું છે તેનું પણ લોકાર્પણ કરી શકે છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં જંગી જનસભા કાર્યક્રમની કરશે જેની તૈયારીઑ પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા અગાઉ 15 જુલાઇનો PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
અમિત શાહનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈના રોજ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. તેઓ 23 જુલાઇએ સવારે અમદાવાદ પહોંચશે. જે બાદ સવારે 11 કલાકે NFSUમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી વિશ્વાસ પ્રોજેક્ટ અને E-FIR પ્રોજેકેટની શરૂઆત કરાવશે. બપોરે 3 વાગ્યા બાદ અમિત શાહ માણસાની મુલાકાત લેશે. જ્યાં અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલયનું નિરીક્ષણ કરશે. તે બાદ નગરપાલિકા હોલ, માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત લેશે. અમિત શાહ પ્રવાસના 2જા દિવસે 24 જુલાઇએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે
RSS પ્રમુખ મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે
તો આ તરફ RSS પ્રમુખ મોહન ભાગવતે પણ ગુજરાત પ્રવાસ ગોઠવ્યો છે.વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ પ્રવાસ મહત્વનો ગણાઇ રહ્યો છે. તેઓ 23,24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ મોટી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા થશે અને ચૂંટણીમાં સંધની વ્યુહરચના ઘડાશે.