પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિયો સાથે વાતચીત કરશે. આ સાથે કોરોના વાયરસના સંકટના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ખાદ્ય વિતરણ તથા અન્ય સહાય પહોંચાડવા સંબંધીત પ્રયત્નો વિશે ચર્ચા કરશે.
તેમના અનુભવોના પ્રયત્નો પર ચર્ચા કરશે
પ્રધાનમંત્રી સંગઠનોના પ્રતિનિધિયો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે
ખાદ્ય વિતરણ તથા અન્ય સહાય પહોંચાડવા સંબંધીત પ્રયત્નો વિશે ચર્ચા કરશે.
પીએમઓએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન વારાણસીના નિવાસીઓ અને સામાજિત સંગઠનોના સભ્યોએ પોતાના પ્રયાસોના માધ્યમથી અને જિલ્લા પ્રશાસન તરફથી ચલાવવામાં આવેલા રાહત કાર્યો દરમિયાન એ સુનિશ્ચિત કર્યું કે જરુરીયાત મંદો સુધી સમય સર ભોજન પહોંચે. પ્રધાનમંત્રી આવા તમામ સંગઠનોના પ્રતિનિધિયો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે અને તેમના અનુભવોના પ્રયત્નો પર ચર્ચા કરશે.