પીએમ મોદી સોમવારે એટલે કે આજે હિમાચલમાં સ્વાસ્થ્ય કર્મીઓ અને સરકારના કોરોના વેક્સિનેશન કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.
પીએમ મોદી આજે કરશે આ કામ
હિમાચલમાં યોજશે એક બેઠક
સ્વાસ્થ્ય કર્મીઓ અને સરકારના કોરોના વેક્સિનેશન કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે
પીએમ મોદીએ ટ્વિટમાં કહી છે આ વાત
પીએમ મોદીએ એક ટ્વિટમાં કહ્યું છે કે હિમાચલમાં દરેક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે અને આ કોરોનાની વિરોધમાં એક કિર્તિમાન બન્યો છે. આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સની મદદથી તેઓ રાજ્યના અનેક લાભાર્થી અને સ્વાસ્થ્ય કર્મીઓ સાથે વાતચીત કરશે જે તેમના માટે સૌભાગ્યની વાત હશે.
कोविड के खिलाफ लड़ाई में सभी Eligible लोगों को वैक्सीन की पहली डोज देकर हिमाचल प्रदेश ने एक मानदंड स्थापित किया है। ऐसे ही कई लाभार्थियों और राज्य के स्वास्थ्यकर्मियों के साथ कल सुबह 11 बजे वीडियो कॉन्फ्रेंसिंग के जरिए संवाद का सौभाग्य प्राप्त होगा। https://t.co/1bPEnGiOa2
PMO કાર્યાલયે કહી છે આ વાત
PMO કાર્યાલયે કહ્યું કે આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ જોડાશે. અન્ય એક નિવેદનમાં કહેવાયું છે કે હિમાચલ પ્રદેશે કોરોના વાયરસના પહેલા વેક્સિનેશન ડોઝને લઈને સફળતા મેળવી છે. રાજ્યના પ્રયાસાં મુશ્કેલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભૌગોલિક પ્રાથમિકતા, જન જાગરુકતા નક્કી કરવા માટે પહેલ અને આશા કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે મુલાકાત પણ સામેલ છે. એક અન્ય નિવેદનમાં કહેવાયું છે કે હિમાચલ પ્રદેશે મહિલાઓ, વૃદ્ધો, વિકલાંગો અને ઔદ્યોગિક શ્રમિકો પર વિશેષ ધ્યાન આપ્યું છે અને આ મુકામને મેળવવા માટે સુરક્ષાની યુક્તિ - કોરોનાથી મુક્તિ જેવા ખાસ અભિયાન ચલાવ્યા છે.
વેક્સિનની બર્બાદી ઘટાડવામાં એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું
ઉલ્લેખનીય છે કે 5મેના રોજ પીએમ મોદીએ કોરોના વેક્સિનનો બગાડ ઘટાડવા માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરવા માટે કેરળના સ્વાસ્થ્ય કર્મીઓ અને નર્સોની પ્રશંસા કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની એક ટ્વિટને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ જોઈને સારું લાગ્યું કે આપણા સ્વાસ્થ્યકર્મીઓ અને નર્સો વેક્સિનની બર્બાદીને ઘટાડવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી ચૂક્યા છે. કોરોનાની લડાઈને મજબૂત કરવા માટે વેક્સિનની બર્બાદીને ઘટાડવાનું જરૂરી છે.
ફ્રન્ટલાઈન વર્કર્સને માટે ક્રેશ કોર્સ કાર્યક્રમ શરૂ
30 મેના રોજ માસિક મન કી બાતમાં પીએમ મોદીએ કોરોનાની લડાઈમાં યોગદાન માટે ડોક્ટર્સ, નર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે દેશવાસીઓએ સેવાભાવથી દેશને મુસીબતથી બહાર કાઢ્યો છે. આપણે જોયું છે કે ડોક્ટર્સ, નર્સો અને ફ્રન્ટ લાઈન કાર્યકર્તા દિવસ રાત મહેનત કરી રહ્યા છે. તો જૂનમાં પીએમ મોદીએ કોરોના ફ્રન્ટ લાઈન વર્કર્સને માટે ક્રેશ કોર્સ કાર્યક્રમ શરૂ કર્યો. જેમાં સેમ્પલ કલેક્શન, ચિકિત્સા ઉપકરણ સમર્થન, ઘરેલૂ દેખરેખ મદદ, પાયાની દેખરેખ મદદ, ઉન્નત દેખરેખ મદદ અને આપાતકાલીન દેખરેખ મદદ જેવી ચીજોને માટે ટ્રેનિંગ અપાય છે.