14 એપ્રિલ 2022નાં રોજ પીએમ મોદી પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ધાટન કરશે. જાણો આ વિષે વિગતવાર
14 એપ્રિલ 2022નાં રોજ થશે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ધાટન
પીમ મોદીનાં હાથો થશે આ ઉદ્ધાટન
ભારતનાં અત્યાર સુધીના બધા પૂર્વ પ્રધાનમંત્રીઓની મળશે જાણકારી
14 એપ્રિલ 2022નાં રોજ પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. પીએમ મોદી તેનું ઉદ્ધાટન કરશે. આ સંગ્રહાલય ભારતના બધા પ્રધાનમંત્રીઓ વિષે જાગરૂકતા પેદા કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયમાં બધા પ્રધાનમંત્રીઓનાં નેતૃત્વ, કાર્યાલય અને ઉપલબ્ધિઓ વિષે જાણકારી મળશે.
પહેલા નહેરુ સંગ્રહાલયનાં નામથી ઓળખવામાં આવતું હતું
પહેલા આ સંગ્રહાલય નેહેરુ મ્યૂઝિયમ ભવનનાં નામે ઓળખાતું હતું. ગયા મહીને મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબીનેટ બેઠકમાં નહેરુ સંગ્રહાલયને પીએમ સંગ્રહાલયમાં બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સંગ્રહાલયમાં દેશનાં બધા 14 પૂર્વ પ્રધાનમંત્રીઓની યાદો સાચવવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સરકારે પૂર્વ પ્રધાનમંત્રીઓનાં યોગદાનને સ્વીકાર કરવા માટે આ નિર્ણય લીધો છે. અમે બધા પીએમનાં યોગદાનને માન્યતા આપવા માંગીએ છીએ. પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં બધા પૂર્વ પ્રધાનમંત્રીઓનાં કાર્યો દર્શાવાયા છે.
દેશનાં પ્રધાનમંત્રીઓ વિષે મળશે જાણકારી
New Delhi | The Pradhan Mantri Sangrahalaya will be inaugurated on 14th April 2022. Museum will showcase the work of PMs of India & includes the erstwhile building of Nehru Museum Building. pic.twitter.com/RsPsooW3B2
ભારતનાં સ્વતંત્રતા સંગ્રામથી શરુ થઈને સંવિધાનનાં નિર્માણથી અત્યાર સુધીની બધી જ વાતો આ સંગ્રહાલય જણાવે છે. અહી જાણ થશે કે ક્યા પ્રકારે આપણા પ્રધાનમંત્રીઓએ તમામ પ્રકારના પડકારો બાદ પણ દેશની પ્રગતિ માટે કાર્ય કર્યું.
બદલતા ભારતની વાતથી પ્રેરિત છે ડિઝાઈન
આ સંગ્રહાલયની ડિઝાઈન બદલતા ભારતની વાતથી પ્રેરિત છે, જેને નેતાઓના હાથોના આકારમાં ઢાળવામાં આવી છે. સંગ્રહાલય બનાવવામાં એકપણ વૃક્ષને કાપવામાં કે પ્રત્યારોપિત કરવામાં આવ્યા નથી. આ સંગ્રહાલયનું કુલ ક્ષેત્રફળ 10,491 વર્ગ મીટર છે.
પહેલા આ તારીખે થવાનું હતું ઉદ્ધાટન
પહેલા આ સંગ્રહાલયનું ઉદ્ધાટન 25 ડિસેમ્બરનાં રોજ કરવાનો પ્લાન હતો. આ દિવસે સ્વર્ગીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્મ જયંતી હોય છે અને આ દિવસને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યાર બાદ 26 જાન્યુઆરીએ ઉદ્ધાટન કરવાનું નક્કી થયું હતું, પરંતુ ત્યારે પણ ઉદ્ધાટન થઈ ન શક્યું.
પૂર્વ પ્રધાનમંત્રીઓની જાણકારી
આ સંગ્રહાલય માટે અત્યાર સુધીના બધા પૂર્વ પ્રધાનમંત્રીઓ વિશેની જાણકારી એકત્ર કરવામાં આવી છે. આ માટે સરકારી સંસ્થાઓ જેવી કે દૂરદર્શન, ફિલ્મ ડિવિઝન, સંસદ ટીવી, રક્ષા મંત્રાલય, મીડિયા હાઉસ, પ્રિન્ટ મીડિયા, વિદેશી ન્યૂઝ એજન્સીઓ, વિદેશ મંત્રાલયના સંગ્રહાલયોની મદદ લેવામાં આવી છે.