PM મોદી આ પ્રવાસમાં બૌદ્ધ ભિક્ષુઓની પણ મુલાકાત કરશે
PM મોદી કરશે UPની મુલાકાત
આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કરશે મુલાકાત
સીએમ યોગી પણ કરશે મુલાકાત
ઉત્તર પ્રદેશને નવા એરપોર્ટની ભેટ મળવાની છે. PM નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે તેનું ઉદ્ધાટન કરશે. કુશીનગર એરપોર્ટ પ્રદેશનું ત્રીજી ઓપરેશનલ ઈન્ટરનેશનલ એરપોર્ટ હશે. તે સિલસિલામાં પ્રધાનમંત્રીના કુશીનગર પ્રવાસની તૈયારીઓ પુરી થઈ ચુકી છે. '
PMનો કાર્યક્રમ
PM મોદી આ પ્રવાસમાં બૌદ્ધ ભિક્ષુઓની પણ મુલાકાત કરશે. આ સમયે વિદેશી ડેલીગેશન પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યાં જ એરપોર્ટના ઉદ્ધાટન બાદ પીએમ મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે. આ સમયે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. પીએમ મોદીના બીજા કાર્યક્રમોની વાત કરીએ તો 25 ઓક્ટોબરે તે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે જશે. વારાણસીમાં ઘણા વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.
CM Yogi Adityanath inspects the Kushinagar International Airport which is expected to be
inaugurated soon. pic.twitter.com/EWphWROkdp
સીએમ પણ કરશે મુલાકાત
ભગવાન બુદ્ધની મહાપરિનિર્વાણ સ્થળી પર બનેલા આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લોકાર્પણને અભૂતપૂર્વ બનાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે તેની તૈયારીઓની મુલાકાત લઈ રહ્યા છે.. સીએમ યોગી ગયા મંગળવારે બપોરે હેલિકોપ્ટરથી એરપોર્ટ પર ઉતર્યા. ત્યાં તેમણે ટર્મિનલ બિલ્ડિગમાં જિલ્લા પ્રશાસન, અરપોર્ટ ઓથોરિટી અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી. ત્યાર બાદ યોગી માર્ગથી મુખ્ય મહાપરિનિર્વાણ મંગિર પહોંચ્યા. અને પૂજા- અર્ચના કર્યા બાદ બરવાં ફાર્મ પહોંચ્યા જ્યાં પર પીએમ મોદીની જનસભા થવાની છે.