વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને PM મોદીના બિહાર-ઝારખંડ પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
PM મોદી આજે બપોરે ઝારખંડના દેવઘર પહોંચશે
ઝારખંડ બાદ મોડી સાંજે બિહારની પણ કરશે મુલાકાત
ઝારખંડ માં 16 હજાર કરોડથી વધુ વિકાસની પરિયોજનાઓની આપશે ભેટ
PM મોદી આજે ઝારખંડના દેવઘરમાં રૂ. 16,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કરશે. આ દરમિયાન PM મોદી દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ પહેલા 25 મે 2018ના રોજ વડાપ્રધાન મોદીએ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો.
I look forward to being in Jharkhand and Bihar tomorrow to attend various programmes.
In the afternoon, I will reach Deoghar where I will inaugurate and lay the foundation stone for development works worth Rs. 16,800 crore. https://t.co/WSBmJlUXJf
દેવઘર એરપોર્ટ ઝારખંડનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. ઝારખંડની રાજધાની રાંચી પછી હવે તે બીજું એરપોર્ટ બની ગયું છે. એક રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે 2014 પહેલા ભારતમાં માત્ર 74 એરપોર્ટ હતા. તે જ સમયે, ભાજપની નરેન્દ્ર મોદી સરકાર પછી, એપ્રિલ 2022 સુધીમાં ભારતમાં એરપોર્ટની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ મંગળવારે ઝારખંડ અને બિહારની મુલાકાત લેવા માટે ખૂબ ઉત્સુક છે. આજે બપોરે ઝારખંડના દેવઘર પહોંચશે. જ્યાં તેઓ 16,800 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન, તેઓ AIIMS, દેવઘરમાં ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને ઓપરેશન થિયેટર સેવાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.
Hon'ble PM @narendramodi will inaugurate #Deoghar Airport on 12th July 2022. The Airport is constructed at an estimated cost of around ₹400 crore. The Terminal Building of the airport is equipped to handle over five lakhs passengers annually pic.twitter.com/UIG9yBZFhC
PM મોદીએ 25 મે,2018ના રોજ AIIMS દેવઘરની શિલાન્યાસ કર્યો હતો. જેના કારણે અહીં રહેતા લોકોને સ્વાસ્થ્ય લાભ મળશે. સુપર સ્પેશિયાલિટી હેલ્થ ફેસિલિટી સાથે, તે ડોકટરોનું એક મોટું જૂથ બનાવવામાં પણ મદદ કરશે. એક રિપોર્ટ અનુસાર મોદી સરકારમાં છેલ્લા આઠ વર્ષમાં 16 AIIMSને મંજૂરી આપવામાં આવી છે. તે જ સમયે, વર્ષ 2014 પહેલા, દેશમાં માત્ર સાત એઈમ્સ હતા.
PM મોદી રૂ.16,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કરશે
દેવઘર ખાતે નવા એરપોર્ટ સહિત રૂ. 16,800 કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની રાજધાની પટના જવા રવાના થશે. આ પહેલા PM મોદી લગભગ 2:20 વાગ્યે ઝારખંડમાં બાર જ્યોતિર્લિંગમાંથી એક બાબા બૈદ્યનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. સાંજે 6 વાગ્યે તેઓ બિહાર વિધાનસભાના શતાબ્દી સમારોહના સમાપન સમારોહને સંબોધિત કરશે.