અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં વડાપ્રધાન નીકળશે તો લોકો તેમનું સ્વાગત કરવા અને મળવા માટે રોડ ઉપર આવશે: CR પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
અમદાવાદમાં રોડ-શોનું આયોજન નથી પણ પુષ્પાંજલિ કાર્યક્રમ: સી.આર.પાટીલ
જ્યારે PM નીકળશે તો લોકો તેમનું સ્વાગત કરવા રોડ ઉપર આવશે: સી.આર.પાટીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે બીજી તરફ બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલી રહ્યો છે. આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય મેગા રોડ શો યોજાશે. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હશે.
જોકે આ બધાની વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો નથી. પરંતુ નરેન્દ્ર મોદી પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવાના છે. સ્વભાવિક છે કે, જ્યારે વડાપ્રધાન નીકળશે તો લોકો તેમનું સ્વાગત કરવા અને મળવા માટે રોડ ઉપર આવશે. પણ રોડ-શોનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે બીજી તરફ બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલી રહ્યો છે. આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય મેગા રોડ શો યોજાશે. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદી આજે અમદાવાદમાં પહેલો રોડ શો કરશે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. આપને જણાવી દઈએ કે, PM મોદીએ તાજેતરમાં સુરતમાં પણ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. પીએમ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડે તેવી સંભાવના છે. PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે.
આજે ગુજરાતભરમાં આ બેઠકો પર સૌની નજર
ખંભાળિયા બેઠક પર આજે ખરાખરીનો જંગ
ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના CM પદના ચહેરા ઇસુદાન ગઢવીએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા સૌ કોઇની આ સીટ પર મીટ માંડીને બેઠાં છે. મુસ્લિમ, આહીર, સતવારા અને ગઢવી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર બે આહિર અને ગઢવી વચ્ચે જંગ છે. કારણ કે ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુ બેરા અને કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યાં છે.
ગોંડલ બેઠક પર જામશે ચૂંટણીનો રસપ્રદ જંગ
ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ગોંડલ વિધાનસભા સીટ ચર્ચામાં આવી ગઇ છે. કારણ કે આ સીટ પરથી બે ક્ષત્રિય દિગ્ગજો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાનમાં છે. સૌ પહેલા ભાજપમાંથી પોતાના પુત્ર માટે ટિકિટ લેવા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામસામે આવી ગયા હતા. પરંતુ ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. આથી જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.
કુતિયાણા બેઠક પર કાંધલ જ કિંગ?
કુતિયાણા બેઠક પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાતા આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ભાજપે મેર જ્ઞાતિના અને કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે. આથી આ બેઠક પર ત્રણેય મેર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામશે.
વરાછા બેઠક
વરાછા બેઠકને પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. કારણ કે આ બેઠક પર અંદાજે દોઢ લાખ કરતાં વધારે પાટીદાર મતદારો છે. અહીં AAPએ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગઈ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો. પરંતુ આ વખતે અલ્પેશ કથીરિયાએ ખુલ્લેઆમ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે ભાજપ માટે આ વખતે સુરતની આ બેઠક એક પડકારજનક બેઠક કહી શકાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ સીટ પરથી કોણ બાજી મારે છે અને કોણ ઘરભેગું થશે.