PM મોદી આજે પોતાના સંસદીય વિસ્તારની મુલાકાતે પહોંચી ચૂક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં બનેલા સામાનને સન્માન આપવું એ આપણું લક્ષ્ય છે. તેઓએ કહ્યું, 'અનુચ્છેદ 370 પર નિર્ણય હોય અથવા તો નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર નિર્ણય હોય, આ દેશ હિતમાં જરૂરી હતો. દબાવ છતા અમે નિર્ણય સાથે છીએ અને સાથે રહીશું.
PM મોદી પહોંચ્યા વારાણસીની મુલાકાતે
સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું કરશે ઉદ્ધાટન
જનસભાના સંબોધન સાથે કરશે 63 ફૂટની પ્રતિમાનું અનાવરણ
એક કાશી, રૂપ અનેક કાર્યક્રમ : PM મોદી
એક કાશી, રૂપ અનેક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કાશીમાં આ મારો ત્રીજો કાર્યક્રમ છે. સૌથી પહેલા હું અધ્યાત્મના કુંભમાં હતો. ત્યારબાદ હું આધુનિકતાના કુંભમાં ગયો. બનારસ માટે સેંકડો કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. હવે હું એક પ્રકારે સ્વરોજગારના કુંભમાં પહોંચી ગયો છું. અહીં અલગ-અલગ કલાકાર, શિલ્પકાર એક જ છત નીચે છે.
નાગરિકતા કાયદા પર કાયમ રહીશું : પીએમ મોદી
ચંદોલીમાં પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મૂ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવી હોય અથવા CAA, વર્ષોથી દેશ આ નિર્ણયની રાહ જોઇ રહ્યું હતું. પીએમએ કહ્યું કે દુનિયાભરના દબાણ છતા સરકાર CAA પર કાયમ છે.
Varanasi: Prime Minister Narendra Modi at the launch event of ‘Kashi Ek Roop Anek’- a cultural, arts and handicrafts exhibition, at Pandit Deendayal Upadhyaya Hastakala Sankul. Uttar Pradesh Chief Minister Yogi Aditynath and Governor Anandiben Patel also present. pic.twitter.com/wboudn42u2
વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કાશી એક રૂપ અનેક પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું. આ કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હસ્તકલા સંકુલમાં ચાલી રહ્યું છે.
Prime Minister Narendra Modi at the launch event of ‘Kashi Ek Roop Anek’ in Varanasi: For the first time in the country, a national logistics policy is being prepared. It will lead to creation of single window e-logistics market. pic.twitter.com/pjnLCcOGBy
વેપારને દસ્તાવેજોના બોજથી મુક્ત કરવામાં આવે : PM મોદી
એક કાશી, રૂપ અનેક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે બદલાતી દુનિયા, બદલાતા સમય, બદલાતી માંગ અનુસા આ ઉત્પાદનોમાં પણ જરૂરી બદલાવ કરવામાં આવે. તેઓએ કહ્યું કે તેના માટે આ પારંપરિક ઉદ્યોગો સાથે જોડાયેલા સાથિઓને ટ્રેનિંગ, આર્થિક મદદ, નવી ટેક્નોલોજી અને માર્કેટિંગની સુવિધા આપવી જરૂરી છે.
પીએમ મોદીને કાળા ઝંડા બતાવાયા
વારાણસીમાં પીએમ મોદીને સપા કાર્યકર્તાએ કાળો ઝંડો બતાવ્યો છે. પીએમ મોદી જ્યારે જંગમબાડી મઠથી નીકળીને બીએચયૂ હેલીપેડ જઇ રહ્યા હતા એ સમયે સમાજવાદી પાર્ટીના એક કાર્યકર્તાએ તેમને કાળો ઝંડો બતાવ્યો. ઝંડો બતાવનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.
21 મહીનામાં બની સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ : મોદી
પીએમ મોદીએ કહ્યું કે BHUમાં આજે જે સુપર સ્પેશિયલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે, તેનો શિલાન્યાસ 2016ના અંતમાં તેઓએ કર્યો હતો. આ હોસ્પિટલ પૂર્વાચલના લોકોની સેવા માટે તૈયાર થયો છે.
દીનદયાળ ઉપાધ્યાયની 63 ફીટ ઊંચી પ્રતિમાનું પીએમ મોદીએ કર્યું અનાવરણ
Prime Minister Narendra Modi inaugurates the 63 feet statue of former Bhartiya Jana Sangh leader Deendayal Upadhyaya in Varanasi. pic.twitter.com/RGnElRbfqB
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને ટ્રાન્સફર કરાશે 67 એકર જમીન
પીએમએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલો એક મોટો નિર્ણય સરકારે કર્યો છે. તેઓએ કહ્યું કે અયોધ્યા કાયદાને આધારે 67 એકર જમીન અધિગૃહિત કરવામાં આવી હતી. તે આખી જમીન નવગઠિત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ટ્રાન્સફર કરાશે.
PM મોદીએ વારાણસીમાં કહ્યું ઈમ્પોર્ટેડ જ શ્રેષ્ઠ છે આ વિચારને બદલવાનો છે
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં બનેલા સામાનને સન્માન આપવું એ આપણું લક્ષ્ય છે. તેઓએ કહ્યું કે લાલ કિલ્લાથી કહ્યું કે સ્વદેશી ખરીદીશું અને સાથે આસપાસના લોકોને પણ આ વાત માટે પ્રેરિત કરીશું. પીએમએ કહ્યું કે ભારતમાં વૈશ્વિક સ્તરે ઉત્પાદન વધી રહ્યું છે. આ સમયે આપણે ઈમ્પોર્ટેડ જ શ્રેષ્ઠ છે આ વિચારને બદલવાનો છે.
वाराणसी में श्री जगद्गुरु विश्वराद्य गुरुकुल शतमानोत्सव में पीएम मोदी: बाबा विश्वनाथ के सानिध्य में, मां गंगा के आंचल में, संतवाणी का साक्षी बनने का अवसर बार-बार नहीं आता है। संतो का आदेश हो और रुचियों का संदेश का महत्व हो तो समय और दूरी कभी बाधा नहीं बनती है। pic.twitter.com/miZ3VAhoZZ
રાષ્ટ્ર સત્તાથી નહીં, સંસ્કૃતિ અને સંસ્કારોથી સૃજિત થાય છેઃ PM મોદી
PM મોદીએ જંગમવાડી મઠમાં સંતોને સંબોધિત કરતાં કહ્યું કે સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળમાં તમારા બધા સાથે આવવું મારું સૌભાગ્ય છે. બાબા વિશ્વનાથના સાન્નિધ્યમાં, મા ગંગાના આંચલમાં, સંતવાણીનો સાક્ષી બનવાનો અવસર ઓછો મળે છે. પીએમએ કહ્યું કે તુલસીદાસજી કહેતા કે સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોઉ. આ ભૂમિની આ જ વિશેષતા છે. એવામાં વીરશૈવ જેવી સંત પરંપરાને યુવા પેઢી સુધી પહોંચી રહ્યું છે. જગદ્ગુરુ વિશ્વરાધ્ય ગુરુકુળના શતાબ્દિ વર્ષનું સમાપન એક ગૌરવશાળી ક્ષણ છે. તેઓએ કહ્યું કે રાષ્ટ્ર સત્તાથી નહીં, સંસ્કૃતિ અને સંસ્કારોથી સૃજિત છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં રાષ્ટ્રનો એ મતલબ ક્યારેય નથી રહ્યો કે કોણે ક્યાં જીત મળેવી છે. અહીં રહેનારાનું સામર્થ્ય બન્યું છે. મુક્તિનો માર્ગ દેખાડનારા આ દર્શનને ભાવિ પેઢી સુધી પહોંચવાનું છે. એક એપની મદદથી આ પવિત્ર જ્ઞાનગ્રંથનું ડિજિટલીકરણ યુવા પેઢીના જોડાવને બળ આપશે અને પ્રેરણા બનશે.
પીએમ મોદી શ્રીજગદગુરુ વિશ્વારાધ્યા ગુરુકુળ શતમાનોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા. પીએમ મોદીએ અહીં પુસ્તક સિદ્ધાર્થ શીખવાણી ગ્રંથનું વિમોચન કર્યું. પીએમએ સિદ્ધાર્થ શીખવાણી ગ્રંથનું 19 ભાષાઓમાં રૂપાંતરણનું વિમોચન કર્યું અને સાથે જ એપ લોન્ચ કરી.
Varanasi: Prime Minister Narendra Modi offers prayers at the Jangamwadi Math. Uttar Pradesh Chief Minister Yogi Aditynath and Karnataka Chief Minister BS Yediyurappa also present. pic.twitter.com/U0tKjhnZ6E
પીએમ મોદીની મુલાકાતમાં યૂપીના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ અને કર્ણાટકના ચીફ મિનિસ્ટર બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ જંગમવાડી મઠમાં પૂજા અર્ચના કરી. અહીં તેઓ એક કલાક રોકાશે અને સિદ્ધાર્થ શીખવાણી ગ્રંથનું 19 ભાષાઓમાં રૂપાંતરણનું વિમોચન કરશે અને એપ પણ લોન્ચ કરશે. ત્યારબાદ 50 હજાર લોકોની જનમેદનીને સંબોધિત કરશે.
PM Narendra Modi arrives in Varanasi. He will inaugurate over 30 projects, including a 430-bed super specialty Government hospital at Banaras Hindu University (BHU), and a 74-bed psychiatry hospital at BHU. PM Modi to also unveil a 63 ft statue of Pt Deendayal Upadhyaya pic.twitter.com/ktEF46ZilI
લગભગ બપોરે 1 વાગે પીએમ મોદી દીનદયાળ ઉપાધ્યાય મેમોરિયલ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેની સાથે તેઓ 30થી વધારે પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કરશે અને સાથે જ અનેક નવી વિકાસાત્મક પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. લગભગ 3 વાગે પીએમ મોદી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હસ્તકલા સંકુલમાં સાંસ્કૃતિક, કલા અને હસ્ત શિલ્પ પ્રદર્શનીનો પણ શુભારંભ કરશે. આ પ્રદર્શનીનું નામ કાશી એક રૂપ અનેક રાખવામાં આવ્યું છે. પીએમ મોદી પોતાના આ પ્રવાસમાં પોતાના સંસદીય ક્ષેત્રમાં ચૌકાઘાટ- લહારતારા ઓવરબ્રિજનું પણ ઉદ્ધાટન કરશે. આ સાથે જ તેઓ બીએચયૂમાં વૈદિક જ્ઞાનના કેન્દ્રનું પણ ઉદ્ધાટન કરશે.
3 કોર્પોરેટ ટ્રેન કરાશે શરૂ
આ સાથે ભારતીય રેલવે પીએસયૂ IRCTC સામાન્ય જનતાને માટે ત્રીજી કોર્પોરેટ ટ્રેન શરૂ કરવા માટે તૈયાર છે. આ ટ્રેન વારાણસી અને ઈન્દોરની વચ્ચે ચાલશે. કાશી મહાકાળ એક્સપ્રેસના નામે આ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન IRCTC દ્વારા ચલાવવામાં આવતી લખનઉ- નવી દિલ્હી- તેજસ અને અમદાવાદ મુંબઈસ તેજસ સિવાય ચાલશે. આ ત્રણેય ટ્રેન હવે કોર્પોરેટ ટ્રેન ગણાશે.
ત્રણ જ્યોર્તિલિંગના કરી શકાશે દર્શન
રાતભર ચાલનારી સુપરફાસ્ટ વાતાનુકૂલિત ટ્રેન હશે. જેમાં બર્થ પણ હશે. આ ટ્રેન ત્રણ જ્યોર્તિલિંગ, ઓમકારેશ્વર (ઈંદોર), મહાકાળેશ્વર (ઉજ્જૈન), કાશી વિશ્વનાથ (વારાણસી) સિવાય મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર ઈન્દોરની સાથે જોડાશે. ટ્રેન અઠવાડિયામાં 3 વાર વારાણસી અને ઈન્દોરની વચ્ચે ઉજ્જૈન, સંત હીરાનગર, બીના, ઝાંસી, કાનપુર, લખનઉ અને સુલ્તાનપુરની વચ્ચે ચાલશે.
સુરક્ષાની કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા
પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ પોલિસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે. સુરક્ષાને જાળવી રાખવા માટે એસપી રેંકના 18 અધિકારી, 20 એડિશનલ એસપી, 40 ડેપ્યુટી એસપીને તૈનાત રાખવામાં આવ્યા છે. આ સાથે જ પીએસી અને પેરામિલિટ્રી ફોર્સ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે પ્રયાગરાજ, વારાણસી અને ગોરખપુર ઝોનના પોલીસ અધિકારી અને જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પીએમ જે રૂટથી જશે તે રૂટ પર પણ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. વારાણસી ઝોનના એડીજીના અનુસાર આસપાસના જિલ્લામાં પણ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.