ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે PM મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
એકવાર ફરી PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે
29-30 સપ્ટેમ્બરે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કરાવશે ફ્લેગ ઓફ
PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે. PM મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
30મીએ અંબાજી મંદિરે દર્શન કરી પીએમ મોદી ગબ્બરે જશે
જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને PM મોદી કાલુપુર રેલવે સ્ટેશન જશે. વડાપ્રધાન મોદી કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની પીએમ મોદી શરૂઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. વડાપ્રઘાન મોદી અમદાવાદથી રાજભવન આવશે. 30મીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું પણ વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદીરે દર્શન કરીને પીએમ મોદી ગબ્બર ખાતે પણ દર્શન કરવા જશે.
જાણો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
PM મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામા આપશે હાજરી
PM મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનમા બેસી કાલુપૂર રેલવે સ્ટેશન જશે PM
કાલુપૂરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
કાલુપુર થી થલતેજ અને ગ્યાસપુર થી મોટેરા રુટની શરુઆત કરાવશે
અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
અમદાવાદ થી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
અંબાજી મંદીરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી