પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આગામી 31 ઓક્ટોબરેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે.
PM મોદી 31 ઓક્ટોબરે આવશે ગુજરાત
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે
કેવડિયા ખાતે કરાશે ઉજવણી
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કેવડિયા ખાતે આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી શકે છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે.
19 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
પ્રધાનમંત્રીના આ પ્રવાસને ધ્યાને રાખીને 19 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હોવાથી સમગ્ર સ્થિતિને ધ્યાને લઇને કાર્યક્રમ નક્કી કરવામાં આવશે અને કાર્યક્રમનું કદ નાનું રાખવાની શક્યતા સેવાઇ રહી છે.